જામનગરના કેરોસીન કાંડમાં ટ્વિસ્ટ! પઠાણી ઉધરાણીના આરોપીઓને કોર્ટે છોડી મુક્યા

0
24825

બિમારી માટે વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉધરાણીથી કંટાળી પરણીતાએ કેરોશીન છાંટી, આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

  • પરણીતા શરીરે દાઝી જતાં સારવારમાં મરણોત્તર નીવેદનમાં આરોપીઓના નામો જાહેર કરેલ હતા અને તેના ત્રાસની વિગતો પણ જાહેર કરેલ હતી

  • પતિની બીમારીના ઈલાજ માટે આરોપીઓ પાસેથી વ્યાજે રકમ લીધેલ હતી

  • પૈસા પાછા માંગવા એ કોઈ ગુનો નથી, વ્યાજે લીધા છે. કે ત્રાસ આપતા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.!! એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૫ ઓગસ્ટ ૨૬ આ કેસની હકિક્ત એવી છે કે, આ કામના ફરીયાદીના પતિ ભરતભાઈ ભુરાભાઈ ઝીઝુંવાડીયા રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં પટ્રાવાળા તરીકે નોકરી કરતા હોય અને તેના માતા બીમાર રહેતા હોય માટે તેમને ફરીયાદીને પૈસાની જરૂરીયાત પડતા આરોપી ભગવતસિંહ વનુભા જાડેજા અને જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધેલ, આ પૈસાની પરત ચુકવણી થઈ ગયેલ હોવા છતાં આરોપીઓ ફોનમાં અને રૂબરૂ આવી ધમકીઓ આપી અને સતત માનસીક ટોર્ચર કરતા હતા

જેના લીધે, ફરીયાદી સવિતાબેન ભરતભાઈ ઝીઝુંવાડીયાએ આરોપીઓથી કંટાળી જઈ અને પોતાના ઘરે શરીરે કેરોસીન છાટી જાતેથી દીવાસળી ચાંપી અને સળગી ગયેલ અને ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલ અને તેમનું મરણોત્તર નિવેદન નોંધવામાં આવેલ અને તેમાં પણ આ ફરીયાદીએ આરોપીઓના ત્રાસ અંગેની હકિકતો જાહેર કરવામાં આવેલ હતી, અને ત્યારબાદ આ બાબતે આરોપી સામે ફરીયાદ દાખલ થયેલ, જે કેસ નામ અદાલતમાં ચાલી જતાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, તમામ સાક્ષીઓએ ફરીયાદ મુજબ જુબાની આપેલ છે અને આરોપીઓએ વ્યાજની ઉધરાણી બાબતે ફરીયાદી અને તેમના પરીવારને હેરાન પરેશાન એટલી હદે કરેલ કે, ફરીયાદીને પોતાની જીંદગી ટુંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે,મરણોત્તર નિવેદનમાં પણ હાલના આરોપીઓના નામ અને તેમના ત્રાસની વિગતો જાહેર કરવામાં આવેલ છે, તો આ પ્રકારના આરોપીઓને દંડાત્મક અને દાખલા રૂપ શીક્ષા થવી જોઈએ, તેની સામે આરોપીઓ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરિયાદીએ આરોપીઓ પાસેથી રકમ લીધેલ છે, તેવું ફરીયાદ પક્ષ એડમીટ કરે છે, અને તે રકમ પાંછી માંગવી તે કોઈ ગુનો નથી, અને વ્યાજે રકમ લીધેલ છે, અને તે ચુકવી દીધેલ હોવા છતાં ત્રાસ આપતા હતા તેવો કોઈ જ પુરાવો રેકર્ડમાં આવેલ નથી, જયારે રેકર્ડ ઉપર તમામ આક્ષેપો પુર્ણ થતાં ન હોય અને તેને સાબીતી મળતી ન હોય, તેવા કિસ્સામાં આરોપીઓને સજા થઈ શકે નહીં, અને તેના આધારમાં નામ.સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના અલગ અલગ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી ભગવતસિંહ વનુભા જાડેજા અને જયદીપસિંહ રણજીતસિંહ જાડેજાને નિર્દષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આ કેસમાં આરોપીઓ તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.