જામનગર તાલુકાના તલાટીઓનું નવું સમયપત્રક જાહેર: ગ્રામજનોને મહેસૂલી કામમાં સરળતા રહેશે

0
146

જામનગર તાલુકાના મહેસૂલી તલાટીઓનું ગામડાંઓની મુલાકાત અંગેનું નવું સમયપત્રક જાહેર

  • કલેક્ટર ની સૂચના પત્ર બાદ નિર્ણય : ૩ મહેસૂલી તલાટીઓને સોંપાયી ગામડાંઓની જવાબદારી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯,સપ્ટેમ્બર ૨૬ ગામડાંના નાગરિકોને પોતાના મહેસૂલી કામકાજ માટે તલાટીઓ કયા દિવસે ચોક્કસ કયા ગામે ઉપલબ્ધ રહેશે તેની સરળ અને સચોટ માહિતી મળી રહે તે માટે કલેક્ટરશ્રી જામનગરના નવા મહેસૂલી જોબ ચાર્ટ અંગેના સૂચના પત્ર અન્વયે જામનગર તાલુકામાં મહેસૂલી તલાટીઓની ગામડાંઓની મુલાકાત માટેનું નવું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.

જામનગર તાલુકા ખાતે ફરજ બજાવતા કુલ ૧૯ મહેસૂલી તલાટી પૈકી હાલ ૦૬ તલાટીશ્રીઓ આઈ.એલ.આર. કચેરી, જામનગર ખાતે તથા ૧૩ તલાટીશ્રીઓ તાલુકા કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ ૧૩ મહેસૂલી તલાટીશ્રીઓની આંતરિક ચાર્જ વ્યવસ્થા મુજબ સોમવારથી શનિવાર દરમિયાન પોતાના સેજાના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ ગામોની મુલાકાત અને હાજરી અંગેનું વિગતવાર સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે.આ સમયપત્રક મુજબ વિવિધ તલાટીશ્રીઓ પોતાના મુખ્ય સેજા તથા ચાર્જ હેઠળના ગામોની નિયમિત મુલાકાત લેશે. જેમાં  જે.એમ.તાળા (મો. 9924820440 – મુખ્ય સેજો: ચંગા, ચાર્જ: ઠેબા, હર્ષદપુર) સોમવાર તથા મંગળવારે ચેલા, બુધવારે હર્ષદપુર, શુક્રવારે ઠેબા અને શનિવારે મોરકંડા ગામે હાજર રહેશે. સુશ્રી એન.કે.યાજ્ઞિક (મો. 9712122300 – મુખ્ય સેજો: આમરા, ચાર્જ: સિક્કા) સોમવાર અને મંગળવારે આમરા, બુધવારે જીવાપર, શુક્રવારે દોઢીયા અને શનિવારે ગાડુકા ગામે ઉપલબ્ધ રહેશે. સુશ્રી ડી.પી.મહેતા (મો. 9714458850 – મુખ્ય સેજો: વીજરખી) સોમવારે વીજરખી, મંગળવારે સપડા, બુધવારે મિયાત્રા, શુક્રવારે વીજરખી અને શનિવારે બાલંભડી ખાતે હાજર રહેશે. સુશ્રી એ.એચ.જોષી (મો. 8734816714 – મુખ્ય સેજો: મોડપર) સોમવાર, મંગળવાર અને બુધવારે મોડપર, શુક્રવારે મતવા અને શનિવારે નાના થાવરીયા ગામે હાજરી આપશે.  બી.કે.ભુંડિયા (મો. 7990796278 / 9737376940 – મુખ્ય સેજો: મોટી ખાવડી) સોમવારે મોટી ખાવડી, મંગળવારે સિક્કા, બુધવારે ગાગવા, શુક્રવારે હડમતીયા અને શનિવારે નાની માટલી ખાતે રહેશે. સુશ્રી આર.કે.ચુડાસમા (મો. 7984782394 – મુખ્ય સેજો: નારણપર) સોમવારે લાવડીયા, મંગળવારે દિગ્વિજયગ્રામ અને દરેડ, બુધવારે મકવાણા, શુક્રવારે સિક્કા, દિગ્વિજયગ્રામ તથા નારણપર અને શનિવારે ફાચરીયા, મુંગણી તથા દડીયા ગામે સેવાઓ આપશે.

તે જ રીતે, સુશ્રી ડી.જી.ચંડેરા (મો. 8758431888 – મુખ્ય સેજો: ખીમરાણા, ચાર્જ: જગા) સોમવારે બેરાજા અને પસાયા, મંગળવારે મેડી અને જગા, બુધવારે વરણા, ગુરુવારે મામલતદાર કચેરી જામનગર (ગ્રામ્ય) ખાતે મીટીંગમાં, શુક્રવારે ખીમરાણા અને સેખપાટ તથા શનિવારે ખીજડીયા અને હાપા ખાતે ઉપલબ્ધ રહેશે. શ્રી આર.વી.પરમાર (મો. 9824974548 – મુખ્ય સેજો: ફલ્લા) સોમવાર અને બુધવારે મોટી બાણુંગાર, મંગળવારે ફલ્લા, ગુરુવારે ફલ્લા અને વેરતિયા, શુક્રવારે મોટી બાણુંગાર અને ચાવડા તથા શનિવારે ફલ્લા અને લાખાણી મોટોવાસ ગામે હાજર રહેશે. શ્રી ડી.કે.દવે (મો. 9173460888 – મુખ્ય સેજો: જામવંથલી, ચાર્જ: લાખાણી મોટોવાસ) સોમવારે જામવંથલી અને મંગળવારે વિરપર ગામે ફરજ બજાવશે.  એન.એલ.કરમુર (મો. 8530278863 – મુખ્ય સેજો: અલીયા, ચાર્જ: ઘુતારપર) સોમવાર, બુધવાર અને શનિવારે અલીયા, મંગળવારે ઘુતારપર અને ઘુડશીયા તથા શુક્રવારે ઘુતારપર ગામે હાજર રહેશે. સુશ્રી બી.એમ.ખરા (મો. 9558159264 – મુખ્ય સેજો: મોટી ભલસાણ, ચાર્જ: વાગડીયા) સોમવારે મોટી ભલસાણ, મંગળવારે વાણિયાગામ, શુક્રવારે ચંદ્રાગા અને શનિવારે સુમરી ભલસાણ ખાતે ઉપલબ્ધ રહેશે.  ડી.એન.ઝાલા (મો. 8490996555 – મુખ્ય સેજો: નાઘેડી, ચાર્જ: ધુંવાવ) અને  વાય.એ.ઝાલા (મો. 97144238688 – મુખ્ય સેજો: લાખાબાવળ, ચાર્જ: વસઇ) સોમવારે ધુંવાવ, વિભાપર અને લાખાબાવળ, મંગળવારે નાઘેડી, ગોરધનપર, ચાંપાબેરાજા અને વાવબેરાજા, બુધવારે ખારાબેરાજા, વસઈ, રાવલસર અને બેડ, શુક્રવારે ઢિંચડા, શાપર અને સરમત તથા શનિવારે નવાનાગના, જુનાનાગના, કનસુમરા અને મસીતીયા ગામે હાજરી આપશે.આ નવું સમયપત્રક અમલમાં આવવાથી ગ્રામજનોને પોતાના મહેસૂલી પ્રશ્નો તેમજ વિવિધ દાખલા-પ્રમાણપત્રો અને કામકાજ માટે સંબંધિત તલાટીશ્રીઓનો સીધો સંપર્ક કરવામાં ખૂબ જ સરળતા રહેશે.