જામનગરમાં પિતા સાથે ઝઘડો કરનાર પુત્રએ ‘લોકઅપ’ ની હવા ખાધી

0
104595

નાનકપુરી પાસે દારૂના નશામાં પિતા સાથે ઝઘડો કરનાર પુત્ર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

  • ૧૧૨ પર ફોન બાદ પોલીસ પહોંચી; પાસ-પરમિટ વિના કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, જુલાઈ ૨૬ જામનગર શહેરના પવનચકી પાસે નાનકપુરી મંદિર પાછળ રહેતા ચંદુલાલ દયારામ ભોજવાણીએ પોતાના પુત્ર નિલેષભાઈ ચંદુલાલ ભોજવાણી સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મોડી રાત્રે આશરે સાડા બાર વાગ્યે નિલેષભાઈ દારૂના નશામાં ઘરે આવ્યા પછી પિતા સાથે બોલાચાલી તથા ઝઘડો કરવા લાગ્યો હતો. પિતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ શાંત ન થતાં રાત્રે આશરે એક વાગ્યે ૧૧૨ જનરક્ષક સેવા પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં જનરક્ષક મોબાઇલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નિલેષભાઈને પિતા સાથે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તેની જીભ થોથરાતી, આંખો લાલચોળ તથા શરીરનું સમતોલન જાળવી શકતા ન હોવાનું જણાયું હતું. પોલીસે કેફી પીણું પીવા અંગે પાસ-પરમિટ માંગતા તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.આથી પોલીસે નિલેષભાઈ ચંદુલાલ ભોજવાણી સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.