જામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના અપહરણ-ખૂન કેસમાં ચુકાદો : આરોપીને આજીવન કેદ, દંડ

0
111761

જામનગરનાં બ્રાસપાર્ટ ના ઉદ્યોગપતિ ના સગીર પુત્ર ના અપહરણ, ખંડણી તથા ખૂનના આરોપીને આજીવન કારાવાસ તથા દંડ

  • મૂળ ફરિયાદી દ્વારા સ્પે પી.પી સાથે રાખવામાં આવેલ સિનિયર એડવોકેટ કોમલ ભટ્ટ તથા એડવોકેટ અશોક જોષીના અર્થાંગ પ્રયત્નો અને નિષ્ઠાભર્યા કાર્યથી આ કાયદાની બાહોશ ત્રિપુટીએ આરોપીને સજા અપાવવામાં સફળતા મેળવી.

  • ચકચારી કેશમાં સરકાર તરફે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર ધારાસાસ્ત્રી અનીલ દેશાઇની નીમણુક કરવામાં આવેલ

  • આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતીને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વિપ્રીત અસર પડે તેવી પુરી સંભાવના રહેલ છે. : સેસન્સ કોર્ટનું અવલોકન

  • કોર્ટે કુલ ૧૧૩ પાના નો વિસ્તૃત ચુકાદો ફરમાવેલ ; સમગ્ર ઘટનાથી હાલારમાં હાહાકાર મચીજવા પમેલ

દેશ દેવી ન્યુઝ તા ૧૮ જૂન ૨૬ આ કેશની હકીકત એવી છે કે , જામનગર શહેરમાં તારીખ ૩૧/૦૮/૨૦૧૬ ના રોજ સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જામનગર ના બ્રાસપાર્ટનો ધંધો કરતા જાણીતા ઉધોગપતી શોની કિશોરભાઈ વીઠ્ઠલભાઇ થડેષ્વર ના શગીર પુત્ર કરણ કે જે જેતે સમયે સત્યસાઇ સ્કુલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો તેનું અપહણ કરી રુપીયા બે કરોડ ની ખંડણી માંગી સગીર કરણ નું ખુન નિપજાવવાના તથા સગીર કરણ નો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવાના ચકચારી અને ગંભીર ગુનાના કામે જામનગર પોલીસે આરોપી મયંક મનસુખભાઇ સંધાણીની ધરપકડ કરેલ અને આરોપી મયંક સંધાણી ની આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪ (ક) તથા આઇ.પી.સી કલમ ૪૦૪ નો ગુનો નોંધી જામનગર કોર્ટમાં કેશ દાખલ કરેલ આ ઘટનાથી હાલારમાં હાહાકાર મચીગયેલ સદર કેશ જામનગરના બીજા એડી. શેન્સ જજ ની કોર્ટમાં ચાલીજતાં આરોપીને આજીવન કારાવાસ તથા દંડની સખત કેદની સજા ફરમાવેલી છેઆ કેશ બીજા એડીશ્નલ સેસન્સ જજ  વી.પી.અગરવાલ ની કોર્ટમાં ચાલીજતા કોર્ટે વિસ્તૃત ૧૧૩ પાના નું જજમેન્ટ ફરમાવેલ છે અને આરોપી મયંકને ખૂન,ખંડણી આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪(ક) ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા અને આઇ.પી.સી કલમ ૪૦૪ માં બે (૨) વર્ષ ની સખત કેદની સજા ફરમાવેલ છે. અને આરોપી ને રુપીયા ૧,૧૦,૦૦૦/- અંકે રુપીયા નો દંડ ફરમાવેલ છે અને જો આરોપી દંડ ન ભરેતો વધુ કેદની સજા ફરમાવેલ છે આરોપી દંડ ભર્યેથી તેમાથી રુપીયા એક લાખ પૂરા ફરીયાદી કીશોરભાઇ થડેષ્વર ને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે.આ ચકચારી કેશમાં ફરીયાદ પક્ષે કુલ ૩૦ સાહેદો તપાસાયેલ અને કુલ ૮૪ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવાની તમામ કડીઓ નીશંક પણે પુરવાર કરેલ છે.આ કેશમાં સરકાર પક્ષે ખાસ નિયત સ્પશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલ દેશાઇ ફરીયાદ પક્ષના કેશના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તથા વિવીધ હાઇકોર્ટ નાં ચુકાદાઓ રજુ કરેલ કોર્ટે તેના ચુકાદામાં એવી ટકોર કરેલ છે કે,આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતી ને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપ્રીત અસર પડે તેવી પુરતી સંભાવના રહેલ છે તેમ ઠરાવી આરોપી મયંક સંધાણીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા દંડનો હુકમ સેસન્સ કોર્ટે ફરમાવેલ છેઆ કેશમાં ગુજરાત સરકારે નામાંકિત સીનીયર એડવોકેટ તથા સૈરાષ્ટ્ર કરછના સંખ્યાબંધ ચકચારી કેશોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે યસસ્વી ફરજ બજાવતા અને ચકરારી કેશો માં ગુનેગારોને સજા કરાવતા એડવોકેટ અનીલભાઇ આર.દેશાઇ ને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નીમણુક આપેલ મુળ ફરીયાદી કીશોરભાઇ થડેષ્વર વતી જામનગરના જાણીતા વકીલ અશોક એચ.જોશી તથા અડવોકેટ શ્રીમતી કોમલબેન.એચ.ભટ્ટ રોકાયેલા હતા.