RPF રાજકોટ ડિવિઝન: સુરક્ષા, સેવા અને સતર્કતાનો ત્રિવેણી સંગમ

0
25846

આરપીએફ રાજકોટ ડિવિઝનમાં સુરક્ષાની સાથે સાથે સેવા અને સતર્કતાનો સંગમ પણ જોવા મળ્યો

  • ઓગસ્ટમાં રૂપિયા ૨.૫૯ લાખથી વધુનો સામાન પરત કર્યો; ૬ લોકોને પરિજનો સાથે મેળવ્યા; ચેઇન પુલિંગ કેસમાં ૧૮ આરોપીઓ પકડાયા

દેશ દેવી ન્યુઝ રાજકોટ તા ૬, સપ્ટેમ્બર ૨૬ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા ઓગસ્ટ મહિનામાં સુરક્ષા, મુસાફરોની સેવા અને જનજાગૃતિના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી. “સેવા હી સંકલ્પ” અંતર્ગત ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી વિવિધ ઝુંબેશો દ્વારા આરપીએફે મુસાફરોની સહાય કરવાની સાથે-સાથે રેલવે સંપત્તિની સુરક્ષા અને રેલ વ્યવહારને અસર કરતી પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરી.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આઈ.જી.-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાનીના નેતૃત્વ અને ડિવિઝન સુરક્ષા આયુક્ત, રાજકોટ ના કમલેશ્વર સિંહના સુપરવિઝન હેઠળ આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા ઓગસ્ટ મહિનામાં વિવિધ મુખ્ય કાર્યો હાથ ધરાયા હતા. જેમાં ઓપરેશન અમાનત હેઠળ ૨૮ મુસાફરોને રૂપિયા ૨.૫૯ લાખથી વધુનો સામાન પરત કર્યો હતો.

મુસાફરોની મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં છૂટી ગયેલો સામાન સુરક્ષિત રીતે પરત અપાવવાના હેતુથી ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન અમાનત” અંતર્ગત આરપીએફે તત્પરતા અને કર્તવ્યનિષ્ઠા દર્શાવી.ઓગસ્ટ મહિનામાં આરપીએફ દ્વારા કુલ ૨૮ મુસાફરોનો લગભગ રૂપિયા ૨,૫૯,૨૧૫ ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે રિકવર કરીને સંબંધિત મુસાફરોને સોંપવામાં આવ્યો.

ઓપરેશન નન્હે ફરીશ્તે: બાળકને પરિજનો સાથે મેળવ્યું

ઓપરેશન નાન્હે ફરીશ્તે” અંતર્ગત આરપીએફ દ્વારા રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં બાળકોની સુરક્ષા માટે ખાસ સતર્કતા રાખવામાં આવી. આ ઝુંબેશ દરમિયાન ૧ બાળકને સુરક્ષિત રીતે તેના પરિજનોને સોંપવામાં આવ્યું હતું.

ઓપરેશન ડિગ્નિટિ: ૦૫ વિખૂટા પડેલા લોકોને પરિજનો સાથે મેળવ્યા

ઓપરેશન ડિગ્નિટિ” અંતર્ગત પોતાના પરિજનોથી વિખૂટા પડેલા અથવા કોઈ કારણોસર અલગ થઈ ગયેલા વ્યક્તિઓની સહાય માટે આરપીએફ દ્વારા તત્પરતાથી કાર્યવાહી કરવામાં આવી. આ ઝુંબેશ દરમિયાન ૦૫ વ્યક્તિઓને તેમના પરિજનો સાથે મેળવવામાં આવ્યા.

ઓપરેશન સમય પાલન: ચેઇન પુલિંગના ૨૮ કેસમાં ૧૮ આરોપીઓ પકડાયા

ટ્રેનોના સુચારુ અને સમયબદ્ધ સંચાલનને અસર કરતી અનાધિકૃત ચેઇન પુલિંગ સામે “ઓપરેશન સમય પાલન” અંતર્ગત અસરકારક કાર્યવાહી કરવામાં આવી.

ઓગસ્ટ મહિનામાં રાજકોટ ડિવિઝનના અધિકારક્ષેત્રમાં પેસેન્જર ટ્રેનોમાં ચેઇન પુલિંગ કરીને ટ્રેનોના સંચાલનને અસર પહોંચાડવાના કુલ ૨૮ કેસ નોંધાયા અને ૧૮ આરોપીઓની અટકાયત કરવામાં આવી. આરોપીઓ સામે રેલવે એક્ટની જોગવાઈઓ મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિ ચોરીના કેસમાં ૦૨ આરોપીઓ પકડાયા

રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન રેલ સુરક્ષા” અંતર્ગત આરપીએફે સતર્કતા અને તત્પરતાથી કાર્યવાહી કરીને રેલવે સંપત્તિ ચોરીના ૦૧ કેસમાં ૦૨ આરોપીઓને ઝડપી પાડ્યા. બંને આરોપીઓ સામે નિયમાનુસાર જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

ઓપરેશન જનજાગરણ: મુસાફરો અને આમ જનતાને જાગૃત કરાયા

રેલવે સુરક્ષા પ્રત્યે મુસાફરો અને આમ જનતામાં જાગૃતિ વધારવાના હેતુથી “ઓપરેશન જનજાગરણ” અંતર્ગત રાજકોટ ડિવિઝનની વિવિધ આરપીએફ પોસ્ટ અને ચોકીઓ દ્વારા વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી.

આ દરમિયાન બેનરો, પોસ્ટરો અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને મુસાફરો તથા આમ જનતાને રેલવે લાઇન ઓળંગવી નહીં, ચાલુ ટ્રેન પર પથ્થરમારો કરવો નહીં, નશાથી દૂર રહેવું, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્વપૂર્ણ વિષયો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા. આ સાથે જ ગામના સરપંચો અને આગેવાનો સાથે બેઠકો યોજીને રેલવે સુરક્ષા સંબંધિત વિવિધ વિષયો પર જનજાગૃતિ વધારવામાં આવી.

ડીઆરએમે આરપીએફના પ્રયાસોની સરાહના કરી

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ પ્રબંધક ) ગિરીરાજ કુમાર મીનાએ જણાવ્યું, “મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘સેવા હી સંકલ્પ’ની ભાવના મુજબ આરપીએફ દ્વારા સુરક્ષા, મુસાફરોની સહાય અને જનજાગૃતિના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસો સરાહનીય છે. રાજકોટ ડિવિઝન સુરક્ષિત અને સુગમ રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખશે.”