જામનગર જિલ્લામાં 4 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક ફેર બદલીઓ કરાઈ

0
142616

જામનગર જિલ્લામાં ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક ફેર બદલીઓ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ જુલાઈ ૨૬, જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં વહિવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરી, પોલીસ ભવન, જામનગર દ્વારા તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ આ અંગેનો કચેરી હુકમ જાહેર કરવામાં આવ્યો છે.બદલીના આદેશ મુજબ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલની બદલી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જ્યારે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાની બદલી શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.આ ઉપરાંત શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીની બદલી મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલની બદલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) ખાતે કરવામાં આવી છે.પોલીસ અધિક્ષકના આદેશ મુજબ તમામ બદલીઓ જાહેર હિત અને વહિવટી સરળતા જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.