જામનગર જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો

0
63870

જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો : પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ ઓગસ્ટ ૨૬ : જોડીયા તાલુકાના રણજીતપર-બાલંભા ગામ નજીક ચોગલે કંપનીના વિસ્તારમાં તા.૩૧ ઓગસ્ટના સાંજના છ વાગ્યા પહેલાંના સમયગાળા દરમિયાન દરિયાઈ ભરતીના કારણે એક અજાણ્યા પુરુષની લાશ તણાઈ આવી હતી. બનાવ અંગે કંપનીના સુરક્ષા સુપરવાઈઝર દીનેશભાઈ રાજમણીભાઈ દુબેએ તા.૨ સપ્ટેમ્બરના રોજ જોડીયા પોલીસમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક પુરુષની ઓળખ હાલ થઈ શકી નથી.