જામનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : LCB એ એક આરોપીને દબોચી લીધો

0
1664

જામનગર માં થયેલી ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલાયો : એલસીબી પોલીસે એક આરોપી ને ઝડપી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૨ ફેબ્રુઆરી ૨૬, જામનગરના કામદાર કોલોની વિસ્તાર માં પાંચ દિવસ માટે બંધ રહેલા એક મકાનમાંથી તસ્કર દ્વારા રૂ. ૧ લાખ ૩૯ હજાર ની કિંમત ના સોના ચાંદી અને ઇમિટેશન ના ઘરેણા તેમજ રોકડ રકમ ની ચોરી કરવામાં આવી હતી. આ ગુના નો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે, અને એક આરોપી ને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધો છે.એલસીબીના પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ .સ્ટાફના એલ.સી.બી. ના પોસઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફ ના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા,આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ને બાતમી મળી હતી કે તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૨૯/૧૨ /૨૦૨૫ દરમ્યાન જામનગર શહેરમા કામદાર કોલોની શેરી નં-૩ રહેતા હીરેનભાઈ કૌશીકભાઇ સોની ના બંધ મકાન ના દરવાજા ના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાંથી રોકડ, રકમ તથા સોના ચાંદી ના દાગીના અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૩૯ ,૦૦૦ ની ચોરી થઈ હતી,જે ચોરી કરનાર આરોપી સુનીલભાઇ ઉર્ફે ખાનભાઇ રાજુભાઇ પરમાર ( રહે. સાત રસ્તા સંતોષી માતાજી ના મંદિર પાસે જામનગર) હાલ દિગજામ સર્કલ પાસે ઓવર બ્રિજ નીચે ઉભેલ છે. તેવી હકિકત આધારે પોલીસે દરોડો પાડી આરોપી ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે થી સોના ના દાગીના( રૂ.૧,૮૯,૦૦૦) ચાંદીના દગીના રૂ.( ૫,૦૦૦), રોકડ રકમ .રૂ. ૧૦,૦૦૦, એક મો.સા કિ.રૂ ૫૦,૦૦૦નું વગેરે કબજે કર્યા હતા.