જામવણથલીમાં વૃદ્ધને ધમકાવવાના કેસમાં બે આરોપી સામે ગુનો નોંધાયો

0
3610

જામનગર તાલુકાના જામવણથલી ગામ માં રહેતા એક વૃદ્ધના ઘરમાં ઘૂસી ધમકી આપતા બે સામે ગુનો નોંધાયો

  • જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી લાકડાના ધોકા સાથે ઘરમાં પ્રવેશ કરી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ, જાનથી મારી નાખવાની ધમકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, ઓગસ્ટ ૨૬ જામનગર નજીક જામવણથલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત ભુરાભાઈ મેઘજીભાઈ પરમાર (ઉ.વ. ૭૮)ની ફરિયાદના આધારે મયુરસિંહ ભરતસિંહ જાડેજા અને તેના સાથી દિવ્યરાજસિંહ સામે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, બપોરે આશરે સવા ચાર વાગ્યે બંને આરોપીઓ લાકડાના ધોકા લઈને નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ભુરાભાઈના ઘરે પહોંચ્યા હતા. ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેમણે પરેશભાઈને બહાર બોલાવ્યા હતા. પરેશભાઈના પગમાં ફ્રેક્ચર હોવાથી તેમની પત્ની તેમને બહાર લાવી હતી. તે દરમિયાન આરોપીઓએ પરેશભાઈ પર મહિલાની છેડતીનો આક્ષેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુરાભાઈને પણ તેમના પિતા ભરતસિંહ જાડેજા વિરુદ્ધ કરાયેલી ફરિયાદનો ઉલ્લેખ કરીને ધમકાવવામાં આવ્યા હતા.બનાવ દરમિયાન સુરક્ષા માટે હાજર જી.આર.ડી.ના સભ્ય ઉમેશભાઈ દેવશીભાઈ પડાયા ત્યાં આવી જતા આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા. જતાં જતાં આરોપીઓએ ભરતસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ વિરુદ્ધ કરાયેલી અગાઉની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે ભુરાભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ઘરભેદી પ્રવેશ, ધમકી તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.