જામનગરના લાલ બંગલા સર્કલમાં AAP દ્વારા વિસાવદરની જીતના વધામણાં કરાયા

0
3374

આમ આદમી પાર્ટી દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલમાં વિસાવદરની જીતના વધામણાં કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ જૂન ૨૫, વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ૧૪,૦૦૦ થી વધુ મતોની લીડથી વિજેતા બનતાં તેની જીતનો જશ્ન જામનગરમાં પણ મનાવવામાં આવ્યો હતો.જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની રાહબરી હેઠળ લાલ બંગલા સર્કલમાં આજે ‘આપ’ના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા, અને ઢોલ નગારા સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો, ઉપરાંત આતશબાજી કરીને એકબીજાના મીઠા-મોઢા કરાવાયા હતા.