જામનગરના ગોકુલનગર ‘બી’ ઝોન માં શનીવારે પાણી વિતરણ બંધ રખાશે

0
22425

જામનગર ના ગોકુલ નગર બી ઝોન માં શનીવારે પાણી વિતરણ બંધ રખાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯જુલાઈ ૨૬, જામનગર ના ગોકુલ નગર ઇએસઆરમાં ફ્લોમિટર અને વાલ્વ ની કામગીરી કરવામાં આવનાર હોવાથી બી ઝોન હેઠળ ના વિસ્તાર માં તા..૧૦ ના પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા ની વોટર વર્કસ શાખા ની યાદી જણાવે છે કે, તા.૧૦/૦૭/૨૦૨૬ અને શુક્રવારે શહેર ના ગોકુલનગર ઈ.એસ.આર/ઝોન ની પ્રિમાઈસીસ માં મુખ્ય પાણી ની પાઈપ લાઈન ઉપર સ્કાડા ના ફલોમીટર, વાલ્વ બેસાડવા ની કામગીરી કરવાની છે.આથી, ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો નવાનગર, મુરલીધરનગર ૧ થી ૩, શીવનગર-૨, શ્યામનગ૨, ખાખીનગર, રામનગર, શાયોના ગલી ડાબી બાજુ, નારાયણનગર, શ્રૃતિ પાર્ક સોસાયટી, કૈલાશનગર, મોહનનગર, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, મુરલીધર સોસાયટી, સુભાષનનગર, રાજરાજેશ્વરી સોસાયટી, સિધ્ધાર્થ નગર, પ્રમુખ પાર્ક, મયુર એવન્યુ, સ્વામીનારાયણ ટાઉનશીપ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. બીજા દિવસે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા એ પછી ના દિવસે રૂટીન લગત ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે.