સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : જામનગરમાં બે બાળકોની માતાના આપઘાત પ્રકરણમાં પતિ-સાસરિયાં નિર્દોષ

0
53880

જામનગર : બાળકોની માતા ૩૧ વર્ષની પરણીતાને સાસરીયાના દુઃખ,ત્રાસથી કેરોસીન છાંટી આત્મહત્યા કરવાના કેશમાં આરોપીઓને નિદોર્ષ મુકત કરતી સેશન્સ કોર્ટ

  • ખેતીકામ અને ઘરકામ બાબતે મેણાટોણા મારી બીજી વહુ લાવવાની ધમકી સાસરીયાઓ આપતા હોવાના આક્ષેપો..

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ મે ૨૬ જામનગર આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અરજણભાઈ માધાભાઈ ધારવીયાની પુત્રી રમીલાબેનના લગ્ન ખીમલીયા ગામે વસવાટ કરતા મુકેશભાઈ ગોવીંદભાઈ નકુમ સાથે કરવામાં આવેલ અને લગ્નબાદ ઢોરની દેખરેખ અને ખેતીકામ બાબતે સાસરીયાઓ અવાર નવાર મેણાટોણા મારતા અને કહેતા કે, કાંમ થઈ શકતું ન હોય તો ઝેરી દવાપીને અને સડગીને મરી જજે આથી ૫૨ણીતાને ખુબજ લાગી આવતા ફરીયાદીની પુત્રી રમીલાબેને પોતાના ઉપર કેરોસીન છાંટી અને આત્મહત્યા કરી હતીઆથી પરણીતાના પીતાએ તેમના સાસુ સસરા તથા પતી સામે પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા અને દુ:ખ,ત્રાસ આપવા અંગેની ફરીયાદ નોંધાવેલ. ત્યારબાદ આ કેશ નામ.અદાલતમાં ચાલી જતાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, પોતાના બે પુત્રોને મુકી અને પરણીતાને અતીશય દુઃખ, ત્રાસા આપેલ હોય અને મરવા મજબુર કરેલ છે અને સાસરીયા વાળાઓએ એકસંપ કરી અને ગુજરનારને હેરાન પરેશાન કરેલ હોય, તેથી તેને સજા કરવી જોઈએ, જેથી તમામ પુરાવા બાદ આરોપી તરફે દલીલો કરવામાં આવેલ કે, નાની બાબતે પરણીતાએ આત્મહત્યા કરી લીધેલ છે, સાસરીયા વાળાઓને એવો કોઈ દુઃખ,ત્રાસ હતો નહી, અને આરોપીઓને ફસાવવા માટે ખોટી ફરીયાદ નોંધી અને ખોટો કેશ કરેલ છે, આ તમામ રજુઆતો અને નામ.અદાલત સમક્ષ આવેલ પુરાવાઓ અને દલીલો બાદ આરોપી પક્ષે થયેલ રજુઆતો માન્ય રાખી અને કોઈ જ પુરાવો સાબીત થયેલ ન હોવાના તારણથી આ ફરીયાદમાં આરોપી મુકેશભાઈ ગોવીંદભાઈ નકુમ તથા મગનભાઈ નકુમ અને જશોદાબેન નકુમ (પતી સાસુ અને સસરા)ને નીદોર્ષ જાહેર કરી અને છોડી મુકેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, ૨જનીકાંત આ૨. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.