જામનગરમાં ‘સુંદર કામગીરી’ કરનાર: મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી ગાંધીનગર બદલી, દિપેશ કેડિયા સંભાળશે સુકાન

0
25060

જામનગર જિલ્લાના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફાર : બે IAS અધિકારીઓ બદલાયા : ડીએન મોદીની  સુંદર કામગીરી યાદગાર રહેશે.

  • રાજ્ય સરકારના ૭૨ આઈએએસ અધિકારીઓના બદલી આદેશોમાં જામનગરના મનપા કમિશ્નર અને ડીડીઓની પણ બદલી

  • મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના સ્થાને દીપેશ કેડિયાની નિમણૂક: જ્યારે ડી.ડી.ઓ. અંકિત પન્નુના સ્થાને શ્રી નિશા ની નિમણૂક કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૩ મે ૨૬, રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના ૭૨ જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અંકિત પન્નુ ની બદલી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાજય સરકાર તરફથી દીપેશ કેડિયાની જામનગર મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ની અમદાવાદ ખાતે નાયબ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ભરૂચ થી શ્રી નિશા ની નવા ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાજ્ય સરકારના આ બદલી આદેશોને પગલે જામનગરના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. નવા અધિકારીઓ આગામી દિવસોમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી પ્રક્રિયાને વહીવટી ગતિશીલતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે.