‘જામીન એ નિયમ’ સિદ્ધાંત : મોરબીના ચકચારી છેતરપિંડી કેસમાં પાર્થ મહેતાને હાઈકોર્ટની રાહત

0
70825

બેંકમાં ગીરો મિલકત બારોબાર વેચી દેવાના કેસમાં ‘જામીન એ નિયમ’ ના સિદ્ધાંતને ધ્યાને રાખી હાઈકોર્ટનો ચુકાદો : એડવોકેટ રુદ્ર મહેતાની ધારદાર દલીલો કામે લાગી

  • મોરબીના ચકચારી છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાને નામદાર ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપતા નિયમિત જામીન મંજૂર કર્યા છે.

દેશ દેવી ન્યુઝ તા ૧ જુલાઈ ૨૬ આ કેસની હકીકત એવી છે કે મોરબી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં C.R. નં. 11189003260103/2026 થી નોંધાયેલા ગુનામાં આરોપી સહિત માતા-પિતા અને પુત્રએ મળીને કાવતરું રચ્યાનો આક્ષેપ છે. આરોપી ઓએ બેંકમાં ગીરો મુકેલી મિલકત બારોબાર અન્ય બે આસામી ઓને વેચાણ કરારથી પધરાવી દઈ રકમ મેળવી છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો.હાઈકોર્ટમાં આરોપી પાર્થ મહેતા વતી એડવોકેટ રુદ્ર મનીષભાઈ મહેતા હાજર રહ્યા હતા. બચાવ પક્ષે ધારદાર દલીલો કરતા જણાવ્યું કે આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો છે અને જામીનનો હક્કદાર છે.નામદાર હાઈકોર્ટે “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે” ના સુપ્રીમ કોર્ટના સુસ્થાપિત કાનૂની સિદ્ધાંતને ધ્યાને લીધો હતો. બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પાર્થ મુકેશભાઈ મહેતાને રૂ. 25,000 ના વ્યક્તિગત બોન્ડ અને અન્ય યોગ્ય શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં જામનગરના જાણીતા એડવોકેટ મનીષ મહેતાના પુત્ર હાઇકોર્ટ પ્રેક્ટિસ કરતા રુદ્ર મનીષભાઈ મહેતા રોકાયેલા હતા