PM ના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન

0
36427

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

  • મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી તરીકેની ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ રાષ્ટ્રસેવાના કાર્યકાળને બિરદાવવા વિશેષ આયોજન

  • રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ભજન ક્લેમિંગ’ નામક ભજન સંધ્યાનું પણ આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરમાં આવતીકાલે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેની તેમની ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ રાષ્ટ્રસેવાના કાર્યકાળ નિમિત્તે સ્નેહ, કૃતજ્ઞતા અને શુભકામનાઓ વ્યક્ત કરવા માટે વિશેષ કાર્યક્રમ ‘આશીર્વાદનો દીવડો’નું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ સાથે તેમની રાષ્ટ્રસેવાને બિરદાવવામાં આવશે. ‘આશીર્વાદનો દીવડો’ સ્નેહ, સંકલ્પ અને કૃતજ્ઞતાના પાવન અવસર તરીકે યોજાઈ રહ્યો છે.આ પ્રસંગે ‘ભજન ક્લેમિંગ’ નામક ભજન સંધ્યાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નાગરિકો, કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ પાઠવે તે માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૭ વાગ્યે જામનગરના પી.એન. માર્ગ પર આવેલી ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાશે. આ પાવન અવસરે સૌની ઉપસ્થિતિ આનંદ અને ગૌરવનો અવસર બનશે.