હાઇકોર્ટ બેન્ચની માંગ : જામનગરના વકીલોની રેલી, કલેકટરને આવેદન

0
13978

રાજકોટ માં હાઇકોર્ટ ની બેન્ચ ની માંગ સાથે જામનગરમાં વકીલો દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા..૨૯, જુલાઈ ૨૬    જામનગર બાર એસોસિએશન દ્વારા આજે જનરલ બોર્ડ ની બેઠક વકીલ મંડળ ના હોલમાં બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટ માં સૌરાષ્ટ્ર-કચ્છની હાઈકોર્ટની બેચ આપવા માટે માગણી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા પછી તાજેતરમાં રાજકોટમાં મળેલી સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસો.ની મિટીંગમાં થયેલા ઠરાવને સર્વાનુમતે ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટમાં હાઈકોર્ટની બેચ શરૂ કરવાની માગણી સાથે વકીલ મિત્રએ બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ઋચીર રાવલ, મંત્રી મનોજ ઝવેરી, સહમંત્રી દીપક ગચ્છર, લાયબ્રેરી મંત્રી જયદેવસિંહ જાડેજા તથા ખજાનચી ચાંદનીબેન પોપટ ના વડપણ હેઠળ કલેક્ટર કચેરી એ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ રાજકોટમાં ગુજરાત રાજ્યની સ્થાપના-૧૯૬૦ પહેલા હાઈકોર્ટની બેચ કાર્યરત હતી. તે બંધ કરી દેવામાં આવી છે તેમ જણાવવા માં આવ્યું છે અને ભૌગોલિક રીતે પણ રાજકોટ ઘણા બધા જિલ્લાઓના મધ્યમાં આવેલુ હોવાથી પરિવહનથી માંડીને તમામ સુવિધાઓ અરજદારોને ત્યાં પ્રાપ્ત થઈ શકે તેમ છે અને પ્રજાને અમદાવાદ હાઈકોર્ટ સુધી ન જવું પડે અને ન્યાયમાં વિલંબ ન થાય તે માટે રાજકોટમાં હાઈકોર્ટ બેચની સ્થાપના માટે માગણી કરાઈ છે.