જામનગરમાં ચકચારી બનેલા થાર ચઢાવી , છરી ઝીંકી : હત્યાના પ્રયાસના 3 આરોપીઓને જામીન પર છોડી મુકવા આદેશ

0
114874

જામનગરમાં ચકચારી બનેલા થાર ચઢાવી , છરી ઝીંકી : હત્યાના પ્રયાસના 3 આરોપી જામીન પર છૂટ્યા,

  • જામનગર સેશન્સ કોર્ટ : “આરોપી નિર્દોષ છે” ના સિદ્ધાંતને અનુસરી ત્રણને જામીન

  • પુરાવાની ચકાસણી ટ્રાયલમાં થશે, હાલ આરોપીઓના બંધારણીય અધિકારનું રક્ષણ : એડવોકેટ રાજેશ ગોસાઈ

  • AI યુગમાં ડિજિટલ પુરાવા પર તાત્કાલિક ભરોસો નહીં : કોર્ટનો મહત્વનો સંકેત

દેશ દેવી ન્યુઝ ૧૩ મે ૨૬ જામનગરના ચકચારી થાર-છરી હુમલા કેસમાં સેશન્સ કોર્ટે ભારતીય ન્યાય વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંત “દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ છે” ને ધ્યાનમાં રાખીને ત્રણ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી કાયદાના શાસન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું મહત્વ ફરી એકવાર સ્થાપિત થયું છે.પંચવટી કોલોની પાસે નાણાકીય લેતીદેતીના વિવાદમાં વનરાજસિંહ વાળા પર થયેલા હુમલા પ્રકરણમાં કૃપાલસિંહ રાણા, વિશ્વરાજ ચૌહાણ અને અનિરૂદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે આરોપીઓ સામે ગંભીર આરોપો મૂકી જામીનનો વિરોધ કર્યો હતો.આરોપી પક્ષના વકીલો રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની સહિતની ટીમે કોર્ટનું ધ્યાન મહત્વના કાયદાકીય મુદ્દાઓ તરફ દોર્યું: જામીન એ અધિકાર છે, મહેરબાની નહીં: સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ મુજબ જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે. માત્ર ગુનો ગંભીર છે એટલા કારણે કોઈના સ્વતંત્રતાના અધિકાર છીનવી શકાય નહીં.પુરાવાની ચકાસણીનો તબક્કો બાકી*: રજૂ કરાયેલ વીડિયો ફુટેજની સત્યતા એવિડન્સ એક્ટ હેઠળ ટ્રાયલ દરમિયાન નિષ્ણાતો દ્વારા ચકાસાશે. આજના AI યુગમાં કોઈપણ ડિજિટલ પુરાવાને હાલના તબક્કે અંતિમ સત્ય માની લેવું યોગ્ય નથી.ભૂતકાળના કેસ જામીનમાં અડચણ ન બને અગાઉ કોઈ ગુના નોંધાયેલા હોય તેને આધારે વર્તમાન કેસમાં જામીન નકારવાનો કાયદામાં કોઈ હેતુ નથી. દરેક કેસની સુનાવણી તેના ગુણદોષ પર જ થવી જોઈએ.

નામદાર સેશન્સ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નોંધ્યું કે હાલ તપાસ ચાલુ છે અને ટ્રાયલ શરૂ થવાની બાકી છે. આ તબક્કે પુરાવાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું ન્યાયોચિત નથી. આરોપીઓના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને કોર્ટે શરતોને આધીન જામીન મંજૂર કર્યા. આ નિર્ણય દર્શાવે છે કે આપણી ન્યાય વ્યવસ્થા લાગણીના બદલે કાયદાના આધારે ચાલે છે. ટ્રાયલ દરમિયાન દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, પરંતુ ત્યાં સુધી આરોપીને જેલમાં રાખવો એ “Pre-trial Punishment” બરાબર ગણાય. આ કેસમાં આરોપી પક્ષે વકીલો રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા અને કરણ કે. પટેલે દલીલો કરી હતી.