જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન એકાએક લાપત્તા

0
67531

જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો: પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, મે ૨૬ જામનગરમાં તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન પોતાના ઘેરથી કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગયો હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો છે. યુવક ની માતા દ્વારા પોલીસમાં ગુમનોંધ કરાવતાં સિટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઇ રહી છે.જામનગર શહેરમાં એક યુવક ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે. આ અંગે સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમ નોંધ મુજબ ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગતો અનુસાર, જીગ્નાબેન સંજયભાઈ કાતરીયા (ઉંમર ૫૪ વર્ષ, જાતે આહીર, રહે: તિરુપતિ, ન્યારા પેટ્રોલ પંપ પાસે, ભોપલાદાદાના મંદિર પાસે, સાઈ દર્શન વાળી શેરી, જામનગર) દ્વારા તેમના પુત્ર ભાવિન સંજયભાઈ કાતરીયા (ઉંમર ૧૯ વર્ષ, ધંધો: અભ્યાસ) ગુમ થયાની નોંધ કરાવવામાં આવી છે.ગુમ થયેલ કોલેજીયન યુવક પોતાના નિવાસસ્થાનેથી કોલેજ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તમામ પ્રયત્નો છતાં કોઈ પતો ન મળતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલમાં સીટી “સી” ડિવિઝન પોલીસ દ્વારા ગુમ થયેલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.