જામનગરમાં સ્ત્રી અત્યાચાર કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : લગ્ન સાબિત ‘ન’ થતા પતિ નિર્દોષ

0
51533

જામનગર : ચારણ સમાજમાં ચકચાર જનક કિસ્સો : સ્ત્રી અત્યાચાર ધારા કેસમાં લગ્ન સાબિત નહીં થતાં નિર્દોષ છુટકારો

દેશ દેવી ન્યુઝ તા. ૧૧ એપ્રિલ ૨૬ જામનગરમાં રહેતી જાનાબેને હાપા વિસ્તારમાં રહેતા વાલસુર ધનરાજ વીર સાથે જ્ઞાાતિના રીત રિવાજ મુજબ દિયરવટુ લગ્ન કરેલાં ત્યારબાદ વાલસુરે પત્નીના ઘેર જઈ લાકડી વડે તેને તથા તેના ઘરના બૈરાઓને મારકૂટ કરતા તે મતલબની ફરિયાદ પંચ – કોષી એ ડિવિઝનમાં આઇપીસીની કલમ 498 એ, 323, 504, 506(2), 452 મુજબની ફરિયાદ કરવામાં આવેલ જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા લગ્ન અંગેની તકરાર લેવામાં આવેલ. ફરિયાદી પત્ની પાસે લગ્ન અંગેના આધાર પુરાવા ન હોય જે દલીલ ધ્યાને લઈ નામદાર અદાલતે આરોપી વાલસુર ધનરાજ વીરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ. આરોપીના વકીલ તરીકે અશરફ જુણેજા, નિલય ઠાકર તથા એન.પી. ગઢવી રોકાયા હતા.