જામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપનું મનોજમથન, આજે ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા

0
78554

જામનગર નગરપાલિકા ચૂંટણી : ભાજપનું મનોજમથન, આજે ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા

  • ક્યા મોટા માથાના નામો કમી થશે, અથવા ક્યાં નવા ચહેરાને તક મળશે, જે અંગે શહેરમાં ચાલતી ભારે અટકળો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૯ એપ્રિલ ૨૬,જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે.

મળતી માહિતી મુજબ જામનગર ભાજપની ટીમ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ છે. જામનગર શહેરના બંને ધારાસભ્યો એવા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉપરાંત જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, ત્રણેય મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર ઉપરાંત અન્ય અગ્રણીઓ વગેરે ભાજપના મુખ્ય કાર્યાલય પર પાર્લામેન્ટરી બોર્ડમાં હાજરી આપવા પહોંચ્યા છે, અને રાત્રિના દસ વાગ્યે જામનગર શહેરની ૬૪ બેઠકો અંગે મનોમંથન કરવામાં આવશે, ત્યાર બાદ સંભવિત રાત્રે જાહેરાત થઈ જશે. જ્યાં ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરની કુલ ૬૪ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આજે રાત્રે લગભગ ૧૦ વાગ્યા બાદ ભાજપ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી શકે છે.ચૂંટણી પહેલા ઉમેદવારોની જાહેરાતને લઈને કાર્યકરો તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિવિધ વોર્ડોમાં ટિકિટ માટે દાવેદારો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાના કારણે પાર્ટી દ્વારા ખૂબ જ વિચારવિમર્શ બાદ અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.આજની બેઠક બાદ સ્પષ્ટતા થશે કે કયા ઉમેદવારોને ભાજપ તરફથી તક મળશે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. ઉપરાંત ક્યા મોટા માથાઓ ની ટિકિટ કટ થઈ રહી છે, તે અંગે શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.