જામનગરના વસઇ ગામની કરોડોની જમીન પ્રકરણમાં સિનિયર એડવોકેટ ના આગોતરા જામીન મંજુર

0
105693

જામનગર : મહાજન પરીવારની કરોડો રૂપીયાની વસઈ ગામની જમીનના ખોટા કરાર કરી અને પુરાવામાં ઉપયોગમાં લેવાની ફરીયાદમાં સીનીયર વકીલને આગોતરા જામીન આપતી નામ.સેશન્સ અદાલત

  • સીનીયર સીટીઝન અને વિધવાના ખોટા અંગુઠા અને ખોટી સહીઓ કરી અને કરાર ઉભા કરી લીધેલ અને એડવોકેટે ખોટી ઓળખાણ પણ આપેલ હોવાના આક્ષેપો

  • સિનિયર વકીલના બચાવમાં વિદ્વન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી આગોતરા જામીન અરજી મંજૂર કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ એપ્રિલ ૨૬ આ કેશની હકિકત એવી છે કે, સીકકા પોલીસ સ્ટેશનમાં ૭૩ વર્ષના નિવત અને વિધવા મહાજન સ્ત્રી રંજનબેન નરશીભાઈ સુમરીયાએ પોતાની ખેતીની જમીન વસઈ ગામે આવેલ હોય અને તે જમીન ખાતા નં.૮૭૫ થી નોંધાયેલ છે અને આ જમીનના રે.સ.નં.૧૭૭/૨ છે અને તે જમીનની બજાર કિંમત કરોડ ઉપરની હોય, જે જમીન અંગે નામ.અદાલતમાં ફરીયાદીના પતીએ જે તે વખતે સને ૧૯૮૧ માં કુલમુખત્યારનામું કરી આપેલ હોય, અને તેઓનું અવશાન થઈ ગયેલ હોય ત્યારબાદ આ જમીન ફરીયાદીએ વારસાઈ કરાવી અને પોતાના નામે કરાવેલ હોય, અને કુલ મુખત્યાર દ્વારા તેમના સામે દાવો કરેલ હોય તે દાવામાં કોઈ મનાઈ હુકમ ન હોય, અને મનાઈ હુકમ અંગેની કોઈ જ કાર્યવાહીઓ પણ થયેલ ન હોય, અને તે દાવો રદ કરવા માટે ફરીયાદીને તેમના પરીચીત વકીલને મળાવેલ અને તે વકીલે જામનગર મુકામે આવી અને તે દાવો ચાલે છે, તે દાવો રદ કરવાની કાર્યવાહીઓ કરવા બોલાવેલ અને ફરીયાદી અભણ હોય, અંગુંઠા કરતા હોય, તેઓ જામનગર મુકામે આવેલ અને તેઓની વકીલે ૧૦ થી ૧૫ કોરા કાગળમાં સહીઓ લઈ લીધેલ અને કોઈ નોટરી સમક્ષ દાવો રદ કરવાનું છે,તેવું સોગંદનામું કરવાનું જણાવી અને વકીલના રજીસ્ટરોમાં પણ સહીઓ લઈ લીધેલ તેમ જણાવતા ફરીયાદીએ સહીઓ કરી આપેલ, ત્યારબાદ ફરીયાદના દીકરી વેકેશનમાં હોય અને તેઓ જામનગર મુકામે આવતા તેમના ધ્યાનમાં આવેલ કે, કોઈ સવદાસ ભાઈએ ફરીયાદીના ખાતામાં ૧ લાખની રકમ જમાં કરાવેલ છે, તેના સાથે કોઈ જ વ્યવહાર ન હોવા છતાં રકમ જમાં કરાવેલ હોય, તે બાબતની અરજી પોલીસ સ્ટેશનમાં કરેલ અને તે સમયે ખોટી રીતે રકમ જમાં કરવામાં આવેલ છે, તેવું જણાવેલ હતું અને તે રકમ પરત કરી દીધેલ, ત્યારબાદ નામ.અદાલતમાં ચાલતા દાવા નં.૫૦/૨૦૨૫ માં સવદાસભાઈ નામના વ્યક્તિએ ફરીયાદીની સહી વાળો વેંચાણ કરાર રજુ કરેલ હોય, અને આ કરાર રૂા.૬૩ લાખનો હોય, અને આ કરારમાં ફરીયાદીના અંગુઠા છે અને તે ઓળખાવનાર તરીકે રણછોડભાઈ નરશીભાઈ પરસાણાની સહીઓ છે, તે સામે આવેલ અને અન્ય સાક્ષીમાં કીશોરભાઈ ગુસાઈ અને પુંજાભાઈ કરમુરની સહીઓ છે, તે ધ્યાને આવતા ફરીયાદીએ સિક્કા પોલીસ સ્ટેશન સમક્ષ આરોપી સવદાસભાઈ ચાવડા, કીશોરભાઈ ગુંસાઈ, પુંજાભાઈ કરમુર અને રણછોડભાઈ પરસાણા સામે ફરીયાદ નોંધાવતા, આરોપી રણછોડભાઈ પરસાણાએ નામ.અદાલત સમક્ષ તેમને ખોટી રીતે આરોપી બનાવેલ હોય જેથી આગોતરા જામીન અરજી દાખલ કરેલ,તેમાં ફરીયાદીએ અને સરકાર તરફે રજુઆતો કરવામાં આવેલ કે, ફરીયાદીની કરોડો રૂપીયાની જમીનનો બારોબાર સોદો કરી અને ખોટી રીતે કરાર કરાવી અને ખોટી ઓળખાણ આપવામાં આવેલ છે અને આરોપી વકીલ છે અને તેઓ આ ષડયંત્રમાં માસ્ટર માઈન્ડ અને એકસપર્ટ છે અને તેઓની ડાયરેકટ સંડોવણી છે, તેથી તેમની તપાસ બાકી છે, જેથી આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદ વંચાણે લેતા ફરીયાદી પોતે જ એવી કબુલાતો આપે છે કે, તેઓએ નોટરી સમક્ષ આવી અને સહીઓ કરેલ છે, અને હાલના આરોપીએ ફરીયાદીની કબુલાતો આપેલ છે, જેથી કોઈ ખોટી વ્યક્તિઓની કબુલાત આપેલ હોય તેવો કોઈ આક્ષેપ પણ નથી અને તેવો કોઈ ગુનો પણ નથી, તેમ છતાં ખોટી રીતે આરોપી તરીકે એક પ્રતિષ્ત એડવોકેટ ને જોડી દીધેલ છે અને વકીલ પોતે કાયદાનું પાલન કરવા અને નામ અદાલતની શરતોની ગરીમાં સમજતા હોય, જેથી તપાસ ચાલુ છે અને તપાસમાં સહકાર નહીં આપે અને હાજર રહેશે નહી અને પુરાવા સાથે ચેડા થશે તેવા કોઈ જ અનુમાનીત મુદાઓ ટકવાને પાત્ર નથી, તેથી આરોપીને જામીન આપવા જોઈએ, આમ નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી વકીલ આર.એન.પણસારાને આગોતરા જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી રણછોડભાઈ પણસારા તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર, નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.