જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખા વાવાઝોડા દરમિયાન ખડેપગે રહી : મળેલી તમામ ફરીયાદોનો નિકાલ

0
19055

જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખાને વાવાઝોડા દરમિયાન ઝાડ પડી જવા સહિતના કુલ ૮૦ કોલ મળ્યા : તમામ ફરિયાદોનો નિકાલ

  • બે મોબાઈલ ટાવર અને ત્રણ સોલાર પેનલ પડી ગયા નો સંદેશો મળ્યો : એક ડઝનથી વધુ વિજ પોલ પર અને ૮ મકાનો પર ઝાડ પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧, માર્ચ ૨૬ જામનગર શહેરમાં ગુરુવારે બપોરે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડા ના કારણે ભારે ખાનાખરાબી થઈ હતી, અને સૌથી વધુ ઝાડ પડી ગયા ના અહેવાલો મળ્યા હતા. જે પૈકી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને શહેરના અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડી ગયા ના કુલ ૮૦ કોલ મળ્યા હતા. જે તમામ સ્થળો પર અલગ અલગ ૧૦ ટીમોને દોડતી કરાવાઈ હતી, અને ગણતરી ના કલાકોમાંજ તમામ ૮૦ ફરિયાદોનો નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.ઝાડ પડવાના કારણે એક ડઝન થી વધુ વીજપોલ ભાંગી ગયા હતા, અથવા તો ઝાડની ડાળી પડવાથી વીજવાયર પણ તૂટ્યા હતા, જે તમામ સ્થળે જઈને ફાયર શાખાની ટુકડીએ કામગીરી કરી હતી.આ ઉપરાંત છ મકાનોની દિવાલ વગેરે પર ઝાડ ની ડાળીઓ પડી હોવાથી મકાનોમાં નુકસાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે. જે તમામ સ્થળે પણ ફાયર શાખા ની ટુકડીએ જઈને કરવતની મદદથી ઝાડની ડાળીઓ દૂર કરી હતી.જામનગર શહેરમાં ગરીબ નગર વિસ્તારમાં આવેલો મોબાઈલ ટાવર તેમજ પંચેશ્વર ટાવર પાસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આવેલો મોબાઈલ ટાવર, કે જે બે ટાવરને તોફાની પવનની અસર થઈ હતી, અને ટાવર નમી ગયા હતા. જે બંને સ્થળે પણ ફાયરની ટુકડી પહોંચી ગઈ હતી, અને જરૂરી કાર્યવાહી કરી હતી.જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં છ સોલાર પેનલોને પણ અસર થઈ હતી. જે પૈકી ત્રણ સોલાર પેનલ મકાન પર લટકેલી જોવા મળી હતી. જેને સહી સલામત રીતે નીચે ઉતારી લીધી હતી. ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ ની રાહબરિ હેઠળ ફાયર વિભાગ ના ૭૦ થી વધુ જવાનોએ પગે રહીને તમામ ફરિયાદોનો નિકાલ કર્યો હતો.