જામનગર માં આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણી ના ઉકેલ માટે ધરણાં અને પ્રદર્શન કરાયું

0
17

જામનગર માં આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણી ના ઉકેલ માટે ધરણાં અને પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ માર્ચ ૨૬, ગુજરાત આંગણવાડી સંગઠનના નેજા હેઠળ જામનગર માં આજે આંગણવાડીની બહેનો દ્વારા ધરણા પ્રદર્શન કરી ને પોતા ની વર્ષો જૂની પડતર માંગણીઓ ને વાચા આપવા નો પ્રયાસ કર્યો હતો. અને આવતીકાલથી ત્રણ દિવસ માટે ઓફલાઈન અને ઓનલાઇન કામગીરી બંધ કરવાની ચીમકી પણ આપી હતી.છેલ્લા ચાર વર્ષ થી આંગણવાડી ની બહેનો દ્વારા પગાર વધારો, ઓનલાઇન કામગીરી માટે મોબાઈલ સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા તેઓની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી. ગત ૧૦ માર્ચ ૨૦૨૫ મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી હતી પરંતુ તે બાબતે પણ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.આથી આજે જામનગરમાં આંગણવાડી વર્કર બહેનો એકત્ર થયા હતા અને ધરણા તેમજ પ્રદર્શન કરીને પોતાની માગણી ને વાચા આપવા સરકાર સમક્ષ ફરી એકવાર રજૂઆત કરી હતી. તેમજ તારીખ ૧૮,૧૯ અને ૨૦ માર્ચ માર્ચના ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરવા ની ચીમકી પણ આપી છે.