જામનગરના વંડાફળી વિસ્તારમાં વણિક યુવાનની હત્યા નિપજાવીને ભાગી છૂટેલા બન્ને આરોપીઓ ગણતરીના કલાકોમાં જામકંડોરણા પાસેથી પકડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૬, જામનગરના વંડાફળી વિસ્તારમાં વણિક યુવાન ની હત્યા કરી ને નાસી છૂટેલા બે હત્યારાઓને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ, તથા સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વિભાગ ની ટુકડી ની મદદ મેળવી ને જામ કંડોરણાં પાસેથી પકડી પાડ્યા છે, અને જામનગર લઈ આવ્યા બાદ બંન્નેની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરના વંડા ફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર. ૫૦૨ માં રહેતા નીલયભાઇ અશોકભાઇ કુડલીયા (ઉ.વ.૪૦) ની તેના સાળા મનીષભાઈ જેરામભાઈ મોરી તથા સોહીલ સલીમભાઇ સોઢાએ ગઈકાલે સવારના તેના ઘરે આવી આડેઘડ છરીના ઘા કરી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ ઉપરોક્ત બન્ને આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સૂચના આપી હતી, તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન મુજબ, જામનગર એલ.સી.બી. ના પો.ઈન્સ. વી.એમ.લગારીયા અને એલ.સી.બીના પોલીસ સ્ટાફની ટીમ તથા જામનગર સીટી એ. ડીવીઝનના પોલીસ ઇન્સ. એન.એ. ચાવડા અને તેઓની સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવી બનાવવાળી જગ્યા આસપાસ ટેકનીકલ મદદથી તથા હ્યુમન સોર્સ ની મદદથી તપાસ શરૂ કરાવી હતી.
દરમિયાન હકીકત મળેલ કે ઉપરોકત બન્ને આરોપીઓ એ હત્યા નિપજાવ્યા બાદ મોટરસાયકલમા નાશી ગયા છે.
જેથી તે બાઇક ની મુવમેન્ટ મેળવવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ નો સપર્ક કરતાં તેઓ દ્વારા બાઇક નું ટેકનીકલ એનાલીસીસ કરાયું હતું.
દરમિયાન ઉપરોક્ત બાઇકની કાલાવડ વાવડી ચોકડી આસપાસ મુવમેન્ટ જોવામાં આવી હતી. જેથી તુરતજ અલગ અલગ ટીમો કાલાવડ તરફ રવાના થઇ હતી, અને જીલ્લા ના અન્ય પો.સ્ટે. ને જાણ કરવામા આવી હતી.જે દરમ્યાન ઉપરોકત બન્ને આરોપીનું ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સથી જાણવા મળેલું કે, તેઓ કાલાવડ થી જામકંડોરણા સાઇડ નાશી રહ્યા છે. જેથી પોલીસ સબ ઇન્સપેકટર એમ વી.ભાટીયા ની ટીમ દ્વારા તેમજ જામ કંડોરણા પોલીસની ટીમની મદદથી આરોપીઓનો પીછો કરી સાતુદડ ગામની સીમમાથી પકડી પાડી હત્યાના બંન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યા છે. જેઓને જામનગર લઈ આવ્યા બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરાયા છે, જ્યાં બંનેની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.


