જામનગર ST ના ડિઝલ ચોરી કૌભાંડમાં સિક્યોરીટી ઓફિસર અને બે ડ્રાઇવરોનો છુટકારો

0
2279

જામનગર એસ.ટી. કોર્પોરેશનની ડીઝલ ચોરીના કેસમાં સંડોવાયેલ સીકયોરીટી ઓફીસર અને ડ્રાઈવરોનો છુટકારો ફરમાવતી જામનગરની અદાલત

  • એસ.ટી.ડેપો મેનેજર ઘ્વારા એસ.ટી.કોર્પોરેશનના ડ્રાઈવર ત્યા સીકયોરીટી ઓફીસર સામે એસ.ટી.વર્કશોપના પંપમાંથી ડીઝલ ચોરીની ફરીયાદ કરવામાં આવેલ હતી.

  • કોર્ટમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની દલીલો ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને છોડી મૂકવા આદેશ ફરમાવ્યો હતો

દેશ દેવી ન્યુઝ તા. ૬ જૂન ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર એસ.ટી.ડીપોમાં આવેલ વર્કશોપના પંપમાંથી ડીઝલ ચોરી કરી અને બારોબાર વેંચાણ કરતા હોવાની માહીતી એસ.ટી.વિભાગના ઈન્સપેકશન દરમ્યાન જાણવામાં આવતો ડીઝલ ૨જીસ્ટરોની ચકાસણી કરવામાં આવેલ અને તેની ચકાસણીમાં ભારે ડીઝલનો જથ્થો બારોબાર વેંચાણ થઈ ગયેલ હોવાનું ખુલેલ, જેની ખાતાકીય તપાસ કરતા આ ડીઝલ ચોરીમાં ડ્રાઈવરો અને સીકયોરીટી ઓફીસરની સંડોવણી હોવાનું ખુલતા નવિનભાઈ પટેલ સીકયોરીટી ઓફીસર ત્થા અશ્વીનગીરી ગોસ્વામી અને રમેશભાઈ ચૌધરી વિગેરે સામે ડીઝલ ચોરી કરી અને બારોબાર સસ્તી કિંમતમાં વેંચાણ કરવા અંગેનો ગુન્હો ડેપોમેનેજર  ખોડાભાઈ મકવાણા દ્વારા જાહેર કરવામાં આવતા આરોપીઓની અટક કરી અને નામ.અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

તેમાં તમામ સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ અને તે કેશના સાક્ષીઓની તપાસ બાદ દલીલો ઉપર આવતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, એસ.ટી.કોર્પોરેશન તે એક પબ્લીક ટ્રાન્સપોર્ટ છે અને તે જે ડીઝલની ચોરી કરવામાં આવેલ છે, તે સામાન્ય પબ્લીકની મુડી છે અને આરોપીઓ સામે પુરાવો મળતા તપાસ કરનાર દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ છે અને તમામ સરકારી કર્મચારીઓએ ફરીયાદમાં જણાવેલ છે અને જે રીતે ચાર્જશીટ કરવામાં આવેલ છે અને તેમના નિવદેનો લેવામાં આવેલ છે તે જ રીતે જુબાની આપેલ છે અને તે ન માનવાને કોઈ શંકા નથી, અને જે ડીઝલ રજીસ્ટર રેર્કમાં આવેલ છે, તેમાં પણ ડીઝલનો જથ્થો ચોરી કરી અને બારોબાર સસ્તી કિંમતમાં વેચાણ કરી અને પોતાના આર્થીક લાભ માટે આ કૃત્ય કરેલ છે, જેથી આ એક ખુબજ ગંભીર પ્રકારનો ગુન્હો છે, અને તમામ કર્મચારીઓ તે સરકારી કર્મચારી હોય તેમ છતાં આ પ્રકારનું કૃત્ય કરેલ છે,

જેથી આરોપીઓને સખત કેદની સજા ફરમાવી અને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે ફરીયાદ આપવામાં આવેલ છે, તે જ સાબીત થયેલ નથી અને જે પંચનામાંની વિગતે રજીસ્ટર કબજે કરવામાં આવેલ છે, તે પંચો ફરી ગયેલ હોય જેથી રજીસ્ટર તે શંકાસ્પદ હોય, તેવું માનવું જોઈએ અને ફોજદારી સીધ્ધાંતો મુજબ જયારે શંકા ઉત્પન્ન થયેલ હોય, તે સંજોગોમાં શંકાનો લાભ આરોપી તરફે આપવો જોઈએ અને ન્યાયીક રીતે જયારે ટ્રાયલ સંપુર્ણ ચાલેલ હોય અને જે ટ્રાયલમાં અનેક સાક્ષીઓ ફરી ગયેલ છે, તે સંજોગોમાં આરોપીઓને દંડી શકાય નહી અને સજા કરી શકાય નહી, જે ધ્યાને લેતા આ કામના સાક્ષીઓ જયારે ફરી ગયેલ છે, તેવું રેકર્ડ ઉપર આવેલ હોય, તે સંજોગોમાં આરોપીઓને છોડી મુકવા જોઈએ અને ફરીયાદ ઉપર જયારે શંકા ઉત્પન્ન થયેલ છે, ત્યારે આરોપીઓને તેનો લાભઆપવો જોઈએ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને નામ.અદાલતે આરોપીઓ તરફે દલીલો ધ્યાને લઈ અને આરોપી નવિનભાઈ પટેલ સીક્યોરીટી ઓફીસર તથા ડ્રાઈવર અશ્વીનગીરી ગોસ્વામી અને રમેશભાઈ ચૌધરી વિગેરેને છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.