ACB લાંચ પ્રકરણ : જામનગર સબ ઓડીટર ‘દિગ્વિજય ગોસાઈ’ ની 12 જ દિવસમાં જેલમુક્તિ

0
2639

જામનગરના ચકચારી ACB લાંચ કેસમાં જીલ્લા સહકારી મંડળીના સબ ઓડીટર દિગ્વિજયગીરી ગોસાઈને ફરીયાદના ૧૨ જ દિવસમાં જામીન મુકત કરતી અદાલત

  • ફાયનાન્સ લાયસન્સ રીન્યુઅલ કરાવવા માટે રૂા. ૧૪૦૦૦/-ની ગુગલપેઈથી લાંચ લીધેલ હોવાના આક્ષેપો હતા

  • ચાર્જશીટ પહેલા જ લાંચના અતી ચકચારી કેસમાં જામીન મુકિત

દેશ દેવી ન્યુઝ તા ૧૨ ઓગસ્ટ ૨૬ જામનગર ખાતે જીલ્લા સહકારી મંડળીના સબ ઓડીટર તરીકે ફરજ બજાવતા દિગ્વીજયગીરી ગોસાઈને લાંચના કેશમાં જામીન મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ, ફરીયાદી ધ્વારા નોંધવામાં આવેલ ફરીયાદ મુજબ ફાઈનાન્સનું લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી અને ફરીયાદી ધ્વારા ગુગલપેઈ મારફતે રકમ મોકલવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવેલ, આ ફરીયાદના આધારે એ.સી.બી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને દિગ્વીજયગીરી ગોસાઈની ધરપકડ કરવામાં આવેલ હતીઆ કેશમાં બાર જ દિવસ અગાઉ ૧૪૦૦૦ની લાંચ લેવામાં આક્ષેપોમાં દિગ્વીજયગીરી ગોસાઈની ધરપકડ કરવામાં આવેલ, જેથી તેમના દ્વારા જામીન મુકતી અંગેની અરજી દાખલ થતા સરકાર તરફે દલીલો થયેલ કે, કેશની તપાસ ખુબજ નાજુક તબકકે છે, અને પુરાવો એકત્ર કરવામાં આવી રહેલ છે, અને ચાર્જશીટ પણ થયેલન નથી, જેથી આરોપીને જામીન મુકત કરવામાં આવશે તો હાલ જે આ રીતે લાંચયા અધીકારીઓ અને દુષણ સમાજમાં ફેલાયેલ છે, તેમાં ખુબજ અસર થશે અને કાયદાની કોઈ બીક રહેશે નહી, આ કામના મુખ્ય આરોપીએ હાલના આરોપી વતી ગુગલપેઈથી રકમ સ્વીકારે છે અને કાયદાનો કોઈ જ ડર રાખ્યા સિવાય ખુલ્લેઆમ આ રીતે લાંચની રકમ ડીઝીટલ સ્વરૂપે સ્વીકારેલ છે અને આ અંગે મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ્સ પણ કરવામાં આવેલ છે, જેથી પ્રથમ દર્શનીય રીતે આરોપી સામે ખુબજ ગંભીર પ્રકારનો ગુનો છે, જેથી આરોપીને જામીન આપવા જોઈએ નહી, તેવી દલીલો કરવામાં આવેલ, અને આરોપી તરફે દલીલો કરવામાં આવેલ કે, આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે, આરોપીની કોઈ જ સીધી સંડોવણી ન હોવાછતાં તેમની ધરપકડ કરવામાં આવેલ છે.આમ નામ.અદાલતે તમામ સંજોગો અને રેકર્ડ અને દલીલો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી દિગ્વીજયગીરી ગોસાઈ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ.રાચ્છ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત નાખવા, નીતેશ મુછડીયા, તથા કરણ પટેલ રોકાયેલા હતા.