જામનગરમાં વેપારીનો ST ડેપોમાંથી કિમતી મોબાઈલ ચોરાયો

0
105

જામનગરના વાલકેશ્વરી નગરીમાં રહેતા વેપારીનો એસટી ડેપો માંથી કીમતી મોબાઈલ ફોન ચોરાયો

જામનગર તા ૯ મે ૨૪, જામનગર શહેરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ જામનગરના એસટી બસ સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર એક ઉપર બસની રાહ જોઈને ઉભા હતા, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ખિસ્સામાંથી રૂપિયા ૫૦ હજારની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે તસ્કર ને પકડવા માટે પોલીસતંત્ર કવાયત કરી રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ વશરામભાઈ માણસુરીયા કે જે જામનગર માં એસટી ડેપોમાં આવ્યા હતા, અને પ્લેટફોર્મ નંબર એક પર ઉભા હતા, જે દરમિયાન તેમના ઉપરના શર્ટના ખિસ્સામાંથી કોઈ તસ્કરો રૂપિયા ૫૦ હજારની કિંમતમાં મોબાઈલ ફોન ની ચોરી કરી ગયા નું પોલીસમાં જાહેર કર્યું છે.જે મામલે સીટી એ.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.