જામનગરમાં “સિનિયર સીટીઝન કાર્ડ” કાઢી આપવા માટે શહેરની વિવિધ સંસ્થાઓનું આયોજન

0
5027

જામનગર શહેરમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકો માટેના “સિનિયર સીટીઝન કાર્ડ’ કાઢી આપવા માટે શહેરની વિવિધ સંસ્થાઓનું આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર  તા ૩, ડિસેમ્બર ૨૫ જામનગર શહેરમાં વસવાટ કરતા અને ૬૦ વર્ષ પુરા થઇ ગયા હોય તેવા વરિષ્ટ નાગરીકો ને સરકાર દ્વારા “સિનિયર સીટીઝન કાર્ડ” આપવામાં આવનાર છે. જે વરિષ્ઠ નાગરિકોએ આ કાર્ડ કઢાવેલું હશે, તેઓને સરકારની અનેક યોજના નો લાભ મળી શકશે.વરિષ્ટ નાગરીકો ને “સિનિયર સીટીઝન કાર્ડ” મેળવવા સહાયરૂપ થવા માટે જામનગર ના બી.જે.એસ. જૈન સંગઠન 7 ફાઉન્ડેશન-જામનગર અને જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર, જામનગર દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા. ૮-૧૨-૨૦૨૫ સોમવારે સવારે ૧૦ થી ૧ અને બપોરે 3 થી ૬ દરમ્યાન ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના વરિષ્ટ નાગરીકો એ જરૂરી ડોકયુમેન્ટ સાથે આવવાનું રહેશે. સંસ્થા ના કાર્યકરતાઓ યોગ્ય રીતે ફોર્મ ભરી, ડોકયુમેન્ટ ચકાસી અને ફોર્મ સક્ષમ અધિકારી ને કાર્ડ ની કાર્યવાહી કરવા માટે સોપી દેશે.જેમનો વારો આવશે તેમને ફોન થી જાણ કરીને સેવા-સદન માં રૂબરૂ ફોટા પડાવવા જવા માટેની જાણકારી આપવામાં આવશે.આ કેમ્પ પૂરો થયા બાદ જામનગર શહેર માં અન્ય સ્થળે પણ આ પ્રકાર ના કેમ્પનું આયોજન કરી વરિષ્ટ નાગરીકો ને સહાય કરવામાં આવશે.