જામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયા બાદ સારવાર માં મૃત્યુ નિપજતાં બનાવ હત્યા માં પલટાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ મે ૨૫, જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે ગત ૭મી તારીખે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.જે બનાવની મોડેથી ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ઉપરોક્ત યુવાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૨ દિવસથી સારવાર મેળવી રહ્યો હતો અને બેશુદ્ધ અવસ્થામાં હતો, દરમિયાન આજે તેની તબિયત લથડતાં મૃત્યુ નીપજયું છે, અને આ બનાવ હત્યામાં પલટાયો છે. જેથી ભારે ચકચાર મચી ગઇ છે.
જી.જી. હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો હાજર હતા અને ભારે દેકારો બોલી ગયો હતો. એક તબક્કે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરતાં ભારે હલચલ મચી ગઈ હતી, વિપ્ર યુવાન વિપ્ર જ્ઞાતિ નો હોવાથી બ્રહ્મ સમાજના અન્ય અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા છે.
આ બનાવ મામલે અગાઉ મૃતક યુવાન કે જે પોતાની પ્રેમિકા ક્રિષ્નાબેન કેશવાલા સાથે લિવ એન્ડ રિલેશનશીપમાં રહેતા હતા, અને આશિષ અસ્વાર કે જેને કેટલાક લોકો ઉઠાવી ગયા હતા, અને માર મારીને ફેંકી દીધો હતો. જે બનાવ બાદ ક્રિષ્નાબેને પોતાના ફઈબા ને ટેલીફોનથી વાત કરતાં તેના ફઇબા એ જણાવ્યું હતું કે તારા પિતા અને ફુવા વગેરે આશિષ ને ઉઠાવી ગયા છે અને પોરબંદર લઈ ગયા છે. તારે જે કરવું હોય એ કરી લેજે તેમ કહ્યું હતું.
જેથી ક્રિષ્નાબેન પોતાના પાડોશી સાથે સીધી સીટી સી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગઈ હતી, અને પોતાના પ્રેમી મિત્ર આશિષ નું અપહરણ કરી જવા અંગે અને ઢોર માર મારવા અંગે પોતાના જ પિતા વિક્રમભાઈ તેમજ ફુવા રામદેવભાઈ અને ફઈબા નીરૂબેન વગેરે સામે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે, અને સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.