જામનગરના દરબારગઢ સર્કલમાં મુખ્ય લાયસન્સ વાળા ચાર તાજીયા એકત્ર થતાં મુસ્લિમ સમુદાય ઊંમટી પડ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૫, જામનગર શહેરમાં ગઈકાલે મહોરમના તહેવારને અનુલક્ષીને મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા નું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, અને શહેરના મુખ્ય લાઇસન્સ વાળા ચાર તાજીયાઓ મોડી રાત્રે પડમાં આવ્યા હતા, દરબારગઢ સર્કલમાં પહોંચ્યા હતા.જે ચારેય તાજીયાઓને એક લાઈનમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર દરબારગઢ સર્કલ નો વિસ્તાર મુસ્લિમ બિરાદરો થી ખીચોખીચ ભરાઇ ગયો હતો, જે માનવસમુદાય અને લાઇટિંગથી ઝળહળતા તાજીયા ની કતાર ની ડ્રોનના માધ્યમથી લેવાયેલી તસવીર.


