જામનગરમાં સત્યનારાયણ મંદિર પાસે ચોરી કરવાનાં ઇરાદે આવેલ શંકાસ્પદ શખ્સ પકડાયો

0
3586

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ચોરી કરવાનાં ઇરાદે આવેલ શંકાસ્પદ શખ્સ પકડાયો : સ્થાનિકોએ ઝડપી લઇ પોલીસ બોલાવી

દેશ દેવી ન્યુઝ તા. ર૫ સપ્ટેમ્બર ૨૫ જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ એક ઘડિયાળની દુકાન પાછળ એક આઝાદ બાગ પાસે એક ઇમારતમાં ચોરી કરવાનાં ઇરાદે ગેરકાયદે પ્રવેશતા શખ્સને સ્થાનિકોએ ઝડપી લેતા ટોળું એકત્ર થયું હતું.સ્થાનિકોએ શંકાસ્પદ શખ્સને પકડી રાખી પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સને પોલીસ સિટી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે આ પહેલા પણ ૧૫ દિવસ પહેલા આ જ વિસ્તારમાં ચોર પકડાયો હતો જેને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યો હતો.