જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતિ

0
1231

જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતિ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, જૂન ૨૫ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના નવ નિયુક્ત પ્રમુખ ના પદગ્રહણ સમારોહમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પનોતા પુત્ર મનસુખભાઈ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ૨૦૨૫-૨૭ ના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ પદગ્રહણ કરી શપથ લીધા હતા. આ તકે ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ, ડિસ્ટ્રીક કો. ઓ. બેન્ક ના ડાયરેકટર અને પૂર્વ ચેમ્બર પ્રમુખ જીતુ લાલ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા, અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પદગ્રહણ સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, જામનગરમાં ચેમ્બરમાં આવવાના આમંત્રણને સ્વીકારતા વનતારા નિહાળવાનો સ્વાર્થ સાધ્યો હતો. અને જ્યારે જામનગરના મહાજનોને મળ્યો છું ત્યારે ડબલ ખુશી છે. ઉપરાંત જામનગર ના બ્રાસ ઉદ્યોગ તેમજ પેટ્રો ઉદ્યોગ નો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.