જામનગરના અતિ ચકચારી બનેલા વ્યાજવટાવ કેસમાં ધર્મેશ રાણપરીયા ને જામીન મુક્ત કરતી સેસન્સ કોર્ટ

0
2574

જામનગરના અતિ ચકચારી એવા પ્રકરણમાં ધર્મેશ રાણપરિયાને જામીનમુક્ત કરતી સેશન્સ કોર્ટ

  • વ્યાજના ચંગુલમાં ફસાયેલ બ્રાસ પાર્ટના કારખાનેદાર વેપારીને ગોંધી રાખી માનસીક ટોર્ચર કરી અને કાર લઈ ગયેલ અને ચેકો લઈ લીધેલા

  • કારખાનેદારને ઝેરી દવા પી જવા મજબુર કરવાના કેસમાં જામીન મુક્ત કરતી નામદાર જામનગર સેશન્સ કોર્ટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩ ડિસેમ્બર ૨૫ આ ચકચારી કેસની હકીકત એવી હતી કે, જામનગરમાં રહેતા બ્રાસ કારખાનેદાર લાલજીભાઈ સવજીભાઈ મારકણાના પત્ની સુધાબેન દ્વારા તા. ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ એ મુજબની ફરિયાદ નોંધાવેલ કે, તેમના પતિ લાલજીભાઇને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરિયાત ઉપસ્થિત થતાં જામનગરમાં વસવાટ કરતાં ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા અને અન્ય ઉપેન્દ્ર રમેશભાઈ ચંદ્રા, કિરીટ અરુણભાઈ ગંઢા, હરીશ પ્રભુભાઈ ગંઢા, જેઠા નાથાભાઇ હાથલિયા ઇસમો સાથે નાણાકીય વ્યવહાર કરેલ હોય અને સદરહુ ઇસમો માથી લાલજીભાઈ દ્વારા ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા પાસેથી પચીસ લાખ વ્યાજે લીધેલ હોય અને તેના બદલામાં ૨૦% વ્યાજ ચૂકવતા હોય બાદમાં વ્યાજના ચૂકવી શકતા ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયાએ લાલજીભાઈના કારખાનેથી બ્રાસના મશીનો લઈ ગયેલ હોય અને બાદમાં તેના ગોડાઉનમાં લાલજીભાઈને ૨૦ થી ૨૫ દિવસ ગોંધી રાખી ધાક-ધમકીઓ આપેલ અને સદરહુ ઇસમો પાસેથી લીધેલ પૈસાનું વ્યાજ ચૂકવી શકેલ ન હોય જેથી સદરહુ ઇસમો દ્વારા પઠાની-ઉઘરાણી કરી મશીનરી, વાહનો અને ચેકો કઢાવી લઈ માનશિક અસહ્ય ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી લાલજીભાઈ દ્વારા જેરી દવા પી જઈ આપઘાત કરવાની કોસીસ કરવાની ફરજ પડેલ હોય તે અંગેનો ગુન્હો લાલજીભાઈના પત્ની સુધાબેન દ્વારા જામ સિટી “એ” ડિવી. પો. સ્ટેશનમાં નોંધાવતાં પોલીસ અધિકારી દ્વારા BNS ની કલમ ૧૨૭(૪), ૧૪૦(૩), ૩૦૮(૫), ૩૫૧(૩), ૩(૫) તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ ૪૦, ૪૨(D), ૪૩, ૪૪ વિ. મુજબની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. અને ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી તમામ આરોપીઓની ઘર-પકડ કરવામાં આવેલ હતી.પોલીસ દ્વારા આ કામની તપાસ કરવામાં આવેલ અને ભોગ બનનાર લાલજીભાઈનું નિવેદન લેવામાં આવેલ જેમાં પણ તેઓને આ ધર્મેશભાઈએ આગલા કેશમાં સમાધાન કરવા માટે વાત-ચિત કરેલ હોય અને તે માટે પૈસા પણ લીધેલ હોય તે મુજબનું નિવેદન નોંધવામાં આવેલ અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુદી-જુદી રીતે, જુદી-જુદી દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને સંપૂર્ણ પોલીસ તપાસના અંતે સદરહુ ઇસમો પૈકી ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા દ્રારા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા તેમના વકીલ મારફત જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરેલ, જેમાં આરોપીના વકીલ ની દલીલોને યાને લઈ નામદાર શેસન્સ કોર્ટે દ્વારા ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયાને ન્યાયના હિતમાં જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો.ઉપરોક્ત કામે આરોપીઓ તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, કેયૂર કે. અજુડીયા રોકાયેલા હતા.