જામનગર માં રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી : શોભાયાત્રાનું આયોજન

0
2858

જામનગર માં રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા આજે મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી : શોભાયાત્રા સહિતના આયોજનો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ મે ૨૫, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રવીર, હિંદવા સુરજ, હિન્દૂ ધર્મ રક્ષક, ક્ષત્રિય કુળ શિરોમણી તથા અણનમ વીર યોધ્ધા શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી વિ.સં. ૨૦૮૧ જેઠ સુદ ૩, તા. ૨૯-૦૫-૨૦૨૫ ને ગુરુવારના આજરોજ ધામધૂમપૂર્વક કરવામાં આવશે. જે અંતર્ગત ત્રિવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેના અનુસનધાને સૌ પ્રથમ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ ગુરુવારના સાંજે ૫-૦૦ કલાકે શ્રી વિશ્વકર્મા બાગ, ગાંધીનગર રોડ ખાતેથી થશે, જ્યાંથી પ્રસ્થાન કરી, શહેરમાં જુદા જુદા રૂટ પર ફરશે, અને સાંજે ૬-૩૦ કલાકે લાલ બંગલા સર્કલ નજીક રાજપૂત સમાજ પાસે પરિપૂર્ણ થશે.
જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પૂષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાશે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદી રાજપૂત સમાજને સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહીને મહારાણા ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે.ત્યારબાદ સાંજે ૭.૦૦ કલાકે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર હોલ, નવા રેલવે સ્ટેશન પાસે એ સ્થળે સમૂહભોજન નું પણ આયોજન કરાયું છે.