જામનગર નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ અંગે તંત્રની મીઠી નજર તળે ચાલતો સરકારી અધિકારીનો વેપાર : એડવોકેટ:- પ્રતિક આર. જોષી
દેશ દેવી ન્યૂઝ તા. ૦૪ ઓક્ટોબર ૨૫ જામનગરમાં પ્રમાણી સ્કૂલ સામેના વિસ્તારમાં આવેલી નંદધામ સોસાયટી જેમા ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટનો સમાવેસ થાય છે. આ સોસાયટી જામનગર મહાનગર પાલીકા દ્વારા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામા આવેલ છે. જે સોસાયટી રહેણાક હેતુ માટે મંજુર થયેલ છે.આ નંદધામ સોસાયટી એસોસિયેશન જામનગર માં રજી.નં. ૬૫૪૮ થી નોંધાયેલછે. આ નંદધામ સોસાયથી જે રેવન્યુ સર્વે નંબર : ૧૪૮૮/૩/૨ પૈકી, આ જગ્યા જામનગરના કલેકટર ધ્વારા જમન-૨-બી.ખે. રજી. નં. ૧૯/૨૦૦૦ થી ખેતીની જમીન રહેણાંક હેતુ માટે બિનખેતીમાં લે-આઉટ પ્લાન જામનગર મહાનગર પાલિકા ધ્વારા રહેણાંક હેતુ માટે ૧ થી ૫૪ પ્લોટ તથા કોમન પ્લોટ મંજુર કરવામા આવેલ છે. આ જગ્યા વોર્ડ ૧૫-સી, સીટી સર્વે નંબર : ૧૧૪૩/૫/૫૫ થી નોંધાયેલછે. જે સોસાયટી સાર્વજનિક કોમલ પ્લોટ પણ નોંધાયેલ છે. જેનું ક્ષેત્રફળ ૫૧૬.૪૩ થાય છે.આ સોસાયટીની કોમન પ્લોટની જગ્યા પર અસામાજીક તત્નો દ્વારા કબ્જો કરી તેના પર બાંધકામ કરવામા આવેલ અને આ બાંધકામ કરી આદ્યોગીક માટે ભાડે આપી તેના પર આવ વસુલ કરે છે. તે બાબતે સોસાયટી ધારકો દ્વારા અનેકો વાર રજૂ આતો સમક્ષ ઓધોરીટી તથા ત્યાના કોપોરેટર તથા ત્યાના એમ.એલ.એસ સમક્ષ રૂબરૂ મળી આ અંગેની જાણકારી આપવામાં આવેલ તેમજ આ અંગે કોઈ નિકાલ લાવવા રજુ આતો કરવામા આવેલ હતી પરંતુ સતા પક્ષના ચુટાઈ આવેલ વ્યકતીઓ ધ્વારા ખોટા આશ્વાસનો આપવામાં આવેલ હતા અને આ બાબતે કોઈ કાર્યવાહી કરવામા ન આવતા સોસાયટી ધ્વારા નંથામ સોસાયટીના એસોસિયેશનમાં કાયદાકીય કામગીરી માટે વકિલ પ્રતિક આર જોષીની નિમણુક કરવામાં આવેલ હતી. જેમના ધ્વારા સોસાયટીના કોમન પ્લોટ કાયદાકીય કામગીરી કરવા તથા તે બાબતની ફરીયાદ દાખલ કરવા તેમને ઓથોરીટી લેટર આપવામા આવેલ છે.
આ સોસાયટી’ના વકીલ પી.આર.જોષી ધ્વારા આ બાબતે જામનગર મહાનગર પાલીકામાં અરજી અહેવાલ કરાવેલ જે મુજબ જામનગર મહાનગર પાલીકા ધ્વારા શો-કોઝ નોટીસ જે થી જી.પી.એમ.સી એકટ ૧૯૪૯ (૧) અન્વયે દબાણ કરનારને આ જગ્યાના આધારો બતાવવા માટે નોટીસ પાઠવવામા આવેલ હતી. પરંતુ દબાણ કરનાર ધ્વારા કોઈ રજુ આતો કરવામાં આવેલ નહી. તેમજ આ દબાણ દુર કરવામાં આવેલ નહીં
તેથી સોસાયટીના વકીલ પી.આર. જોષી ધ્વારા આ બાબતે સરકારશ્રીમા લેન્ડગ્રેચિંગ હેઠળની તારીખ : ૨૦-૦૬-૨૦૨૫ના રોજ ઓન લાઈન ફરીયા કરવામાં આવેલ હતી. જે ફરીયાદ થયા બાદ લાંબા સમય સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હતી. આ બાબતે વકીલ ધ્વારા તપાસ કરતા આ અસામાજીક તત્વો ધ્વારા જે દબાણ કરી તેના પર રકમની વસુલાત કરવામાં આવતી હતી. તેથી તેમના ધ્વારા હાલના સત્તા પક્ષોના ચુટાઈ આવેલ પ્રતીનીધીઓની સાથે સાંઠ ગાઠ કરી આ કરીયાદની કામગીરી ધીમી કરવામા આવેલ છે. જે બાબતે વકીલ ધ્વારા રજુઆતો કરવાથી આ લેન્ડગ્રેબિંગ ફરીયાદ તળે તપાસ માટે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૨ જામનગરની કચેરી ધ્વારા ફરીયાદી તથા આ દબાણ ધારકો ને આ અરજીના તપાસની કામગીરમા તારીખ : ૪-૦૯-૨૫ના ૫:૦૦ કલાકે જવાબ તથા આધાર પુરાવા સાથે હાજ થવા માટે નોટીસ આપવામાં આવેલ હતી. જે બાબતે ફરીયાદી તથા દબાણ ધારકો પોતે હાજ રહેલ અને દબાધ ધારકો ધ્વારા તેમના કોઈ માલીકી અંગેના કોઈ આધારો રજૂ કરેલ ન હતા પરંતુ તેમના ધ્વારા જામનગર મહાનગર પાલિકાના બીલો રજુ કરવામાં આવેલ તથા જે જોતા જાહેર થયેલ કે આ કોમન પ્લોટની જગ્યા છે. તે બીલમાં સ્પષ્ટ જણાવેલ છે. આ જગ્યા કોમન પ્લોટ છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિ ધ્વારા ટેકના બીલ બનાવેલ તથા તેના વેરાના બીલો બનાવેલ છે. આ જાહેર થતા સ્પષ્ટ થાય છે. આ કોમન પ્લોટનુ દબાણ જામનગર મહાનગર પાલિકાના અધીકારી ઓ તથા સત્તા પક્ષના હાથ નીચે કામગીરી કરવામાં આવેલ છે. તેમજ આ ફરીયાદની તપાસની ધીમી ગીતીએ ચલાવી રહેલ છે જેથી આ દબાણ કરનારને પોતાના દબાણ માટે અન્ય કોઈ પણ રીતે આ ફરીયાદને અટકાવવાનો પ્રયત્ન કરી સકે. “આ તમામ માહિતી બહાર આવતા નંદધામ સોસાયટીના ધારકો ધ્વારા જામનગર મહાનગર પાલિકાના કમિશનર સાહેબ સમક્ષ રૂબરૂમા તારીખ : ૦૧-૧૦-૨૦૨૫ના રોજ આવેદન આપવામાં આવેલ છે. જેની સામે દબાણ કરના અસામાજીક વ્યકતીઓ ધ્વારા રજૂ કરવામ આવેલ કાગળો પુરાવામાં આપવામાં આવેલ હતા. જે પુરાવાઓ ધ્યાને લઇ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સાહેબ ધ્વારા તારીખ : ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જેએમસી (ટી.પી.ઓબી. ૨૯/૨૬૦(૨)–નોટીસ/વો. નં. -/૧૧૮ ૮/૨૦૨૫ – ૨૬ થી ધી.જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ ૨૬૦ (૨) હેઠળ નોટીસ લગાવવામા આવેલ છે. જે મુજબ સ્પષ્ટ થાય છે. કે આ કોમન પ્લેટમા દબાણ છે. તેમ છતાં આરોપીઓને બચાવવા માટે લેન્ડગ્રેબિંગની જે કરીવાદને આગળ વધારવામા આવતી નથી અને આરોપીની અટક ન થાય તેમાટેના પ્રયત્નો થઈ રહેલ છે.
આ લેન્ડગ્રેબિંગની જે ફરીયાદ કરવામા આવેલ છે તે હજુ પણ સાસક પક્ષ ધ્વારા તથા હાલના અધીકારીઓ ધ્વારા અટકાવી રાખવામ આવેલ છે. તેથી સ્પષ્ટ થાય છે કે આમા કોમન પ્લોટના દબાણ બાબતે સરકારના નિયમો મુજબ ૩૦ દિવસમા જે ફરીયાદનો નીકાલ કરવા કાયદામાં જોગવાઓ કરવામા આવેલ છે. તેમ છતાં અધીકારોઓ ધ્વારા સોસાયટીના કોમન પ્લોટના દબાણ કરનારને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહેલ છે. તેમજ લેન્ડગ્રેબિંગના કાયદા મુજબ સરકારશ્રીના અધીકારી ધ્વારા અન્ય ફરીયાદોમાં તાત્કાલીક અસરથી દબાણ દુર કરવાની કામગીરી કરવામા આવે છે. તેમ છતાં આમા આ સોસાયટીના કોમન પ્લોટમા કોને બચાવવા તથા કોના નેજા હેઠળ આ કામગીરીની ગીતી ધીમી કરવામા આવેલ છે તે પ્રશ્ન છે.જયારે ગુજરાત રાજયના ગૃહ મંત્રી ધ્વારા જાહેરમા તથા સમાચારોમાં જાહેરાતો કરવામાં આવે છે કે કોઈની પણ જગ્યા અસામાજીક તત્વો ધ્વારા દબાણ કરવામ આવે કે હેરા પરેસાન કરવામ આવે તો તેની સામે સીધી ફરીયાદ આવતાની સાથે તેના પર કાર્યવાહી કરવામાં આવસે તેમ છતાં આ ફરીયાદ અંગે આજ દીન સુધીમા કોઈ કાર્યવાહી આગળ વધેલ નથી.આ દબાણ કરનાર પર લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ સ્પષ્ટ રીતે દબાણ અંગે એફ.આઈ.આર થવી જોઈએ પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ પૂર્ણ કરવામા આવેલ નથી કે તેમના પર કોઈ પગલા લેવામા આવેલ નથી.
આમ નંદધામ સોસાયટીના તમામ સોસાયટી ધારોક ધ્વારા આ અંગે અને કો રજુ આત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવેલ નથી. જે સરકમારશ્રીના પ્રતીનીધીઓ ધ્વારા જે કાયદા મુજબની જાહેરાતો કરવામા આવે જે પણ લોકોને અસામાજીક તત્વો ધ્વારા હેરાન પરેસાન કે તેમની જમીન દબાણ કરવામાં આવસે તેમને સરકાર ધ્વારા છોડવામાં નહી આવે. પરંતુ આ કિસામા સરકારશ્રીના અધીકારીઓ તથા ચુટાયેલા પક્ષના પ્રતીનીધીઓ ધ્વારા દબાણ કરનારના રક્ષણ માટે હાલની કામગીરીનું અટકાવવાનો પયત્ન કરી રહેલ છે.