જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામ પાસે આવેલા આર્ય ભગવતી વિલા ના એક બંગલામાં દારૂની મહેફિલ પર LCB ત્રાટકી
-
દારૂની મહેફિલ માણી રહેલા જામનગર- અમદાવાદ અને દેવભૂમિ દ્વારકા સહિતના છ વેપારીઓ પકડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩,નવેમ્બર ૨૫ જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત નજીક આવેલા આર્યભગવતી વિલાના ૧૧૨ નંબરના બંગલામાં દારૂની મહેફિલ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન જામનગર, અમદાવાદ દેવભૂમિ દ્વારકા, અને લાલપુર સહિતના છ જેટલા વેપારીઓ દારૂની મહેફિલ માણી રહેલા રંગે હાથ ઝડપાયા હતા.
આથી એલસીબી ની ટીમે ખંભાળિયાના વેપારી જુનેદ ગુલમામદભાઈ કોટા, જામનગરના વેપારી હાજી સુલતાન વલીમામદ ખફી, ઢીચડાના વેપારી અજહરખાન ઉમરખાન પઠાણ, અમદાવાદના વેપારીઓ જાવેદ વલીમહંમદ તથા મોહસીન વલીમહંમદ, લાલપુરના ઇકબાલ ઈસ્માઈલભાઈ ચૌહાણ સહિતના વેપારીઓની અટકાયત કરી લઇ તેવો પાસેથી ઇંગ્લિશ દારૂની ખાલી અને ભરેલી બોટલ, દારૂના ગ્લાસ, તથા અન્ય સામગ્રી સહિત એક લાખ ની માલસામગ્રી કબજે કરી છે, અને તમામ સામે સિક્કા પોલીસ મથકમાં દારૂની મહેફિલ માંણવા અંગે ગુનો નોધ્યો છે.


