જામનગરના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં અડધું ગરકાવ

0
2659

જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર ફરી ધસમસતા પાણી ના પ્રવાહમાં અડધું ગરકાવ થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૫, જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં રવિવારે ફરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો આવી જતાં ડેમ પૂન: ઓવરફ્લો થયો હતો, અને તે પાણી નો જથ્થો દરેડ ની કેનાલ તરફ આવ્યો હતો.લાલપુર ના ગ્રામ્ય પંથકના રવિવારે બપોર દરમિયાન પડેલા વરસાદના કારણે દરેડની નદીમાં પૂર આવ્યા હતા, અને પાણીનો ધસમસતો પ્રવાહ દરેડ નજીક આવેલા ખોડીયાર મંદિરના પરિસરમાં આવી પહોંચ્યો હતો. એક તબક્કે પાણીનો મોટો પ્રવાહ આવી જતાં દરેડ નું ખોડીયાર મંદિર ફરી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અને મંદિર પરિસરમાં પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. રવિવારની રજા હોવાથી લોકો મોટી સંખ્યામાં ચેકડેમના કાંઠે અને મંદિર પાસે એકત્ર થયા હતા. અને આ નજારો નિહાળ્યો હતો. જોકે પોલીસ તંત્રએ સુરક્ષાના ભાગરૂપે કોઈને નીચે જવા દીધા ન હતા.