જામનગર : “છોટીકાશી” માં પરીણીતાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

0
914

સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

  • છોટીકાશી’ માં પરીણીતાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦, જૂન ૨૫ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં જેઠ મહિનાની પૂનમ અર્થાત વટ સાવિત્રી પૂનમની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ દિને પરીણીત મહિલાઓ પતિનાં દિર્ધાયુષ્ય માટે તથા સુખી દામ્પત્ય જીવન માટે વડલાંનાં વૃક્ષનું પૂજન કરે છે. આ વર્ષે પણ આ પરંપરા નિભાવાઇ હતી. શહેરનાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરનાં પટાંગણમાં આવેલ વિરાટ વડલાઓનું પરીણીતાઓએ પૂજન કર્યુ હતું. બ્રાહ્મણો દ્વારા વિધીવત પૂજા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર સહિત વડલાનાં વૃક્ષો ધરાવતા અન્ય દેવમંદિરોમાં પણ પરીણીતાઓએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે પંચાગ અનુસાર આવતીકાલે પણ પૂનમનું વ્રત કરવામાં આવશે તથા મંદિરોમાં પૂનમને અનુલક્ષીને ઉત્સવો ઉજવાશે.