જામનગર પોલિસે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન : મિલન કરાવી આપ્યું

0
1469

જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મનરોગી બાળકીને તેના પરિવાર સાથે પૂન : મિલન કરાવી આપ્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જૂન ૨૫, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક મનો દિવ્યાંગ બાળકી તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી, અને પંચકોસી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મળી આવી હતી. જે બાળકી માનસિક અસ્થિર અને પોતાના પરિવાર, રહેઠાણ વગેરે વિષે કશું જણાવી શકતી ન હતી, પરંતુ પંચકોસી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે મોડી રાત સુધી રઝળપાટ કરીને આખરે તેણીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા, અને બાળકી નું પરિવાર સાથે પૂન:મિલન કરાવી દેતાં પરિવારજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા, અને પોલીસ તંત્ર નો આભાર માન્યો હતો.

જામનગરના પંચકોશી એ. ડીવી પો.સ્ટે વિસ્તારના ધુંવાવ ગામ પાસે એક ૧૪ વર્ષની બાળકી મેઇન રોડ પર ચાલીને નજરે આવતાં ધુંવાવ ગામના એક મુસ્લીમ આગેવાન દ્વારા પંચ એ. ડીવીઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એન.એમ. શેખ તેમજ પીએસઆઇ એ.આર. પરમાર તેમજ વુમન પો.હેડ કોન્સ્ટેબલ આર.આર. ગોજીયા વગેરેએ ધ્રુવાવ ખાતે ગયા હતા, ત્યાં બાળકી ને તેનું નામ-ઠામ તેમજ રહેઠાણ બાબતે પુછતાં તે યોગ્ય જવાબ ન આપી શકતાં તેમજ તેના કપડા લતા તેમજ તેની માાનસીક – શારિરિક પરિસ્થતી જોતા તે માનસીક રિતે અસ્થીર હોવાનું જાણવા મળ્યું હતું.

આથી પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા તેણીના વાલી વારસની શોધ ખોળ કરવામાં આવી હતી. આમ લગભગ રાત્રી ના એક વાગ્યા આસપાસ આ બાળકીના માતા નો સંપર્ક થતાં તેમણે કહેલું કે તેઓની બાળકી માનસીક અસ્થીર છે, અને કયાંક ચાલી ગયેલી છે.

ત્યારબાદ આ બાળકીનો ફોટો તેમને બતાવતાં તેમણે કહેલું કે આ તેમની બાળકી હોય અને તેમની માતા શંકર ટેકરી ખાતે રહેતા હોવાથી પંચ એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ બાળકીને તેની માતા પાસે લઇ જવામાં આવી હતી, ત્યારે બાળકી પણ તેની માતા ને ઓળખી ગઇ હતી, તેમજ માતા પણ પોતાની બાળકીને સહી સલામત પોતાને મળી ગયા ની ખુશી વ્યકત કરી હતી. આમ પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટિમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામા આવી હતી, જેથી પરિવારજનોએ પોલીસ તંત્ર નો આભાર માન્યો હતો.