જામનગર : બુજુર્ગ મહિલા પર દિવાલ ધસી પડતા દટાઈ જવાથી મોત

0
1996

કાલાવડના ધુનધોરાજી ગામમાં ૭૦ વર્ષના બુજુર્ગ મહિલા પર દિવાલ ઘસી પડતાં દટાઈ જવાથી અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા કાંતાબેન અરજણભાઈ ટીંબડીયા નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાની વાડીએ પાણી ભરવાના હોજની દીવાલની બાજુમાં બેઠા હતા, જે દરમિયાન અચાનક હોજની પાકી દિવાલ તૂટીને ધસી પડી હતી.

જે દિવાલની નીચે દટાઈ જવાના કારણે ગંભીર ઇજા થઇ હતી, અને તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આબનાવ અંગે એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.