જામનગરના ગાંધીનગરમાં દબાણ દૂર કરવા ગયેલા એસ્ટેટ અધિકારી પર હુમલાનો પ્રયાસ પ્રકરણમાં નવો વણાંક : દંપતી પહોંચ્યું એસ્ટેટ ઓફિસરના ઘરે..
એસ્ટેટ ઓફિસર નિલેશ દીક્ષિત દ્વારા પોતાના મકાનમાં કરેલ ગેરકાયદે દબાણ દૂર કરો.. દંપતીનો આક્ષેપ..
એસ્ટેટ ઓફિસરના ઘરે દંપતી પહોચતા મનપાના કર્મચારીની ફોજ દોડી..પરિવારમાં દોડધામ મચી ગઇ..
ઘટનાસ્થળે પોલીસ પહોંચી જતા દંપતીને પોલીસ સ્ટેશન લઈ જવાયું : પોલીસની સમજાવટ બાદ હાલ મામલો થાળે.
જામનગરમાં ગાંધીનગર પાછળ આવેલા મેહુલ પાર્ક વિસ્તારમાં જાહેરમાર્ગ બનાવેલ દિવાલ બની કારણભૂત..નવાજૂનીના એંધાણ
દેશી ન્યુઝ નેટવર્ક o૪. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલા મનપાના એસ્ટેટ અધિકારી પર એકસ આર્મીમેન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો તે સંદર્ભ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગરના ગાંધીનગર વિસ્તારના મેહુલ પાર્કમાં જાહેર માર્ગ પર બનાવેલ દિવાલ એસ્ટેટ વિભાગે ત્રણ મહિના પૂર્વે દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી .
આ સમયે આસામીએ 15 દિવસમાં દિવાલ સ્વેચ્છાએ દૂર કરવાની ખાતરી આપી હતી . જેને ત્રણ મહિના થવા છતાં આસામીએ દિવાલ દૂર કરી ન હતી . આથી મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નિલેશ આર. દિક્ષીત સ્ટાફ સાથે મંગળવારે સાંજે દિવાલ દૂર કરવા સ્થળ પર ગયા હતાં.
દિવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દિવાલ બનાવનાર એકસ આર્મીમેન ધસી આવ્યા હતાં અને અધિકારી પર હુમલાનો પ્રયાસ કર્યો આટલું ન જ નહીં પથ્થરમારો કરતા દબાણદૂર કરનાર એસ્ટેટ વિભાગના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી આ બનાવ અંગે એસ્ટેટ અધિકારી ફરિયાદ કરવા સીટી બી ડીવીઝન દોડી ગયા હતાં
આ બનાવે શહેરભરમાં ભારે સારી એવી ચર્ચા જગાડી હતી પરંતુ આજરોજ દંપત્તિ એસ્ટેટ ઓફિસર નિલેશ દીક્ષિતના ઘરે પહોંચતા દોડધામ મચી જવા પામી છે. આ બનાવથી મ્યુ. કોર્પો.માં ભારે ચર્ચા જાગી છે. હાલ દંપતી વિરુદ્ધ અટકાયતી પગલા લીધા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.


