જામનગર ની જી.જી હોસ્પિટલ ના બે કર્મચારી દ્વારા રૂ. ૧૭ લાખ ૨૦ હજાર ની ઉચાપત પ્રકરણ માં ગાંધીનગર થી ટીમ તપાસ માટે દોડી આવી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨ જૂન ૨૫, જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂ.૧૭ લાખ ૨૦ હજાર ની ઉચપાત કરવામાં આવી હતી, આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે ગાંધીનગર થી આરોગ્ય વિભાગ ની ટીમ તપાસ માટે જામનગર દોડી આવી છે.અને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે. જેથી જી.જી. હોસ્પિટલ વર્તુળ માં ભારે દોડધામ થઈ છે.જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગ માં આઉટસોર્સ એજન્સી મારફત કામ કરતા બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા એ ઓક્ટોબર ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૫ સુધી ના સમયગાળામાં જી.જી. હોસ્પિટલ ના કર્મચારીઓના વિવિધ ભથ્થા ની રકમ ના બિલ ,વાઉચર બનાવી ને તેમાં પોતાના એકાઉન્ટ નંબર લખ્યા હતા, અને કુલ રૂપિયા ૧૭ લાખ ૨૦ હજાર ની સરકારી નાણાં ની ઊચાપત કરી હતી.
આ અંગે વહીવટી અધિકારી ડો. ભાવિન કણસાગરા એ બંને કર્મચારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ તમામ રકમના બિલમાં ડો. કણસાગરા ની સહીઓ છે. તેમના જણાવ્યા પ્રમાણે પોતાને અંધારામાં રાખીને અને વિશ્વાસઘાત કરી ને બિલમાં આ સહીઓ કરાવાઈ હતી. જોકે આ સમગ્ર કૌભાંડ તિજોરી કચેરીના કર્મચારીની જાગૃતતા ને કારણે પ્રકાશમાં આવ્યું છે. અન્યથા હજુ પણ આ કૌભાંડ ચાલુ રહેવા પામ્યું હોત,.
બીજી તરફ આ સમગ્ર અહેવાલ ગાંધીનગરની આરોગ્ય વિભાગ ની વડી કચેરી ને મોકલવામાં આવ્યો હતો, જ્યાં થી તપાસ ટુકડી નું આજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આગમન થયું હતું. આ ટુકડી એ હોસ્પિટલના વહીવટી વિભાગ ના અનેક દસ્તાવેજો તપાસ્યા હતા.અને તેની નોંધ કરી હતી. આ બાબતનો તપાસ અહેવાલ ગાંધીનગરની વડી કચેરીએ મોકલવામાં આવ્યા પછી ત્યાંથી વધુ આકાર પગલાં લેવાઇ શકે છે.તેમ જાણવા મળે છે. આ કામગીરીને લઈને જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ધારે દોડધામ થઈ છે.