જામનગર ના બચુનગર વિસ્તારમાં ચાર ધાર્મિક સ્થળો પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવા કાર્યવાહી
જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુ નગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલેશન શરૂ કરાયું છે, ત્યારે જુદા જુદા પ રહેણાક મકાનો ને દૂર કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે ધાર્મિક સ્થળો નો પણ સમાવેશ થાય છે.
બચુ નગર સહિતના વિસ્તારમાં જુદા જુદા ચાર ધાર્મિક સ્થળો પણ દબાણ હટાવવા ની લાઇન દોરીમાં આવી જાય છે. જે તમામ સ્થળોને પણ ખસેડી લેવા માટેની આજે પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે, અને ચારે સ્થળો પર ડી.વાય. એસ.પી. જે. એન. ઝાલા તથા મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા, અને ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે ધાર્મિક સ્થળો ના દબાણો હટાવી લેવા માટે ની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.