જામનગરમાં આવતી કાલે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સ્નેહમિલન સમારોહ અને બાઈક રેલી કાર્યક્રમ યોજાશે
-
આવતી કાલે બપોરે 3:00 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ થી બાઈક રેલીનો પ્રારંભ થશે અને ત્યાર બાદ ગાંધીનગર મેઇન રોડ , સ્થિત ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે સ્નેહમિલન સમારોહ યોજાશે
-
આવો, દીપાવલી અને નુતન વર્ષના પાવન પર્વ ની શુભકામના સાથે રીવાબા જાડેજા નુ સ્વાગત, સન્માન અને સત્કાર કરીએ
-
ક્ષત્રિય સમાજનું ઘરેણું અને હાલારનું હીર , સ્ત્રી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ એવા મુઠ્ઠી ઉંચેરા બહેન શ્રી અને આદરણીય ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા ને અભિનંદન પાઠવીએ.
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ ઓકટોબર ૨૫ ગુજરાત રાજ્ય સરકારમાં નવા મંત્રીમંડળમાં શહેરના ધારાસભ્ય રિવાબા જાડેજા ની નિયુક્તિ થતાં શહેરમાં હરખની હેલી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળમાં ફેરફાર કરાયા બાદ વિસ્તરણ થયું હતું, અને નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ની પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની નિયુક્તિ કરાતાં જામનગર શહેરમાં અને ખાસ કરીને રાજપૂત સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
સનાતન ધર્મની સૌથી મોટી પર્વશ્રેણી દિપાવલી નિમિત્તે યોજેલ સ્નેહમિલન કાર્યક્રમ અને 78-જામનગર ઉત્તર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યાની ઉજવણીના અવસરે, બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ બાઈક રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાઈને બહેનશ્રીનું અભિવાદન કરવા માટે આહવાન કરાયું છે .
ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર ની અટકળો બાદ જામનગરના શિક્ષિત અને યુવા ધારાસભ્ય રિવાબા જાડેજા ના નામની અનેક દિવસોથી ચર્ચા થતી હતી, અને આખરે તેમની પસંદગી કરવામાં આવતાં શહેરી વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે હાલારમાં બે કેબિનેટ કક્ષાના મંત્રીઓના પદ છીનવાયા છે, અને એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા ની પસંદગી થઈ છે,રાજ્ય સરકાર દ્વારા આજે નવા મંત્રીમંડળના વિસ્તરણ સાથેના શપથવિધિ સમારોહની સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા ના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી હતી, અને શહેરના અનેક સ્થળોએ ફટાકડા ફોડીને તેમની નિયુક્તિને આવકાર મળ્યો હતો. સાથોસાથ એકબીજાના મીઠા મોઢા કરાવાયા હતા.


