જામનગર નજીક પગપાળા ચાલીને જતાં સંધને લાયસન્સ વગર મોટરકાર ચલાવી અને હડફેટે લેતા ૪ વ્યકિતના મુત્યુ કરનાર ડ્રાઈવરને નિર્દોષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત
-
અમદાવાદના બહુચર્ચિત તથ્ય પટેલ જેવી હીટ એન્ડ રન ની ઘટના
-
બનાવ રાત્રીના અંધારામાં બન્યો છે. આરોપીને કોઈએ નજરે જોયો નથી : એડવોકેટ રાજેશ ગોસાઈ
-
જામનગર દ્વારકા રોડ ઉપર કાર ચાલક દ્વારા અકસ્માત કરી અને નાશી જવાના કેશમાં આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામદાર અદાલત
દેશ દેવી ન્યૂઝ તા. ૨૯ જૂન ૨૫ જામનગર આ કેસની હકિકત એવી છે કે, નવેમ્બર માસમાં રમેશભાઈ ચતુરભાઈ ભાડજા ત્થા કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા ત્યા પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા તથા પ્રાણજીવનભાઈ રતીલાલ ઠોરીયા વિગેરે ૧૫ લોકોનો સંધ મોરબીથી દ્વારકા જવા રવાના થયેલ હોય તેમના સાથે પ્રતિક ત્થા પ્રિન્સ વાસુભાઈ અધારા વિગેરે ટ્રેકટરમાં ત્થા રમેશભાઈ અધારા ત્યા રમેશભાઈ ડાયાભાઈ અગોલા તેમજ અન્ય લોકો આ સંધની મદદમાં ટ્રેક્ટરમાં આગળ ચાલતા હતા
તે દરમ્યાન સવારના છ વાગ્યાના આસપાસ ગાગવા પાટીયા પાસે હાઈવે રોડ ઉપર બ્રેઝા કાર વાળાઓએ પોતાની બ્રેઝા કાર પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી અને આ સંધને હડફેટે લીધા હતા , તેમાં ઘટના સ્થળે જ કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા ત્થા પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા ત્થા રમેશભાઈ ભાડજા ત્થા પ્રાણજીવનભાઈ ઠોરીયાનુંનું મૃત્યુ નિપજ્યું હતું અને આ ઘટના બનેલ ત્યારે સ્થળ ઉપર ભાવીકાબેન રમેશભાઈ અગોલાએ આ અકસ્માત નજરે જોએલ અને તેમને વર્ણન કરેલ કે, બ્રેઝા કાર નં.જી.જે.-૦૨-ડી.એમ.-પ૯૧૮ના ચાલકે પોતાની મોટરકાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી અને રોડની સાઈડમાં ચાલતા કરશનભાઈ ત્થા પરેશભાઈ ત્થા રમેશભાઈ અને પ્રાણજીવનભાઈને હડફેટે લેતા તેઓ હવામાં ઉછળીને ફેકાયેલ અને કાર ચાલક પોતાની કાર થોડે આગળ રાખી અને નાશી ભાગી ગયેલ, આ હકિક્ત જાહેર થતાં અકસ્માતમાં મરણજનાર રમેશભાઈ ભાડજાના પુત્ર કેવીનભાઈ ભાડજા દ્વારા મેધપર પડાણા પોલીસ સ્ટેશનમાં મારૂતી સુઝુકી બ્રેઝા કાર નં. જી.જે.-૦૨-ડી.એમ.-૫૯૧૮ના ચાલકના ડ્રાઈવર સામે ફરીયાદ જાહેર કરી હતી
તે ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન આરોપી પાસે કોઈ લાયસન્સ ન હોવાનું ખુલેલ, અને કેશ ચાલી ગયેલ તેમાં નજરે જોનાર સાક્ષી તથા આ સંધમાં સાથે હતા તે તમામની જુબાની લેવામાં આવેલ અને તે તમામ વ્યકિતઓએ અકસ્માત જે બનેલ તે રીતે જુબાની આપેલ અને ત્યારબાદ આર.ટી.ઓ. અને એફ.એસ.એલ.ને તપાસવામાં આવેલ, ત્યારબાદ દલીલમાં સરકાર પક્ષે એવી દલીલો કરવામાં આવેલ કે, અકસ્માત અનેક લોકોએ નજરે જોએલ છે, અને આ તમામને તપાસમાં આવેલ છે અને તમામની જુબાની તે તેમના નિવેદન મુજબ અને અકસ્માતની તમામ સચોટ માહીતી જાહેર કરે છે અને આ કામે આર.ટી.ઓ.ને પણ તપાસમાં આવેલ છે, અને આ અકસ્માતમાં આરોપી પાસે કોઈ વેલીડ લાયસન્સ પણ ન હોવાનું રેકર્ડ ઉપર આવેલ છે, આ રીતે જયારે હીટ એન્ડ રનના બનાવો બને છે ત્યારે આરોપીને ખુબજ સચોટ અને દાખલો બેસે તે રીતે પુરેપુરી સજા કરવા માટે દલીલો કરેલ
તેની સામે આરોપી પક્ષના ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ દ્વારા એવી દલીલો કરવામાં આવેલ કે, આ બનાવમાં કોઈ નજરે જોનારે આરોપીને જાએલ નથી અને આ બનાવ અંધારામાં બનેલ છે તેનો પણ તમામે સ્વીકાર કરેલ છે અને આ ચાલક કોણ હતું તે પણ કોઈના નિવેદનમાં ખુલેલ નથી, અને કોઈ જ વ્યકિતએ આરોપીને એટલે કે, કાર ચાલકને જાએલ નથી, તે સંજોગોમાં આ આરોપીને જે પકડી અને ચાર્જશીટ દાખલ કરેલ છે, તેને જ આ અકસ્માત કર્યો છે, તે અનુમાન કહી શકાય અને અનુમાનના આધારે કોઈને દંડી શકાય નહી આ આરોપીએ જ અકસ્માત કરેલ છે, તેવો કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, અને અમારો બચાવ પણ આ આરોપી કાર ચલાવતો ન હતો અને આ આરોપી પાસે કોઈ કારનું લાયસન્સ જ નથી, તે તથ્ય છે અને ખોટી રીતે સંડોવી દીધેલ છે, તે બચાવ માનવો જોઈએ અને આરોપીને છોડી મુકવો જોઈએ અને ફોજદારી સિધ્ધાંતો મુજબ ફરીયાદ પક્ષ દ્વારા તેમનો કેશ નિઃશંક પણે સાબીત કરવો પડે ત્યારે ટ્રાયલ દરમયાન આ તમામ શંકાઓ ઉત્પન્ન કરવામાં આવેલ છે, તેથી આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ, આમ નામ અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી અર્જુનજી અમરાજી ઠોકરને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, તથા કરણ કે. પટેલ રોકાયેલા હતા.


