જામનગર મહાનગર પાલિકાના કચરાના કામમાં ૯૦૦ કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ
-
આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કચરા સહિતના કોન્ટ્રાક્ટ ની આઈટમ રદ કરવા ની માંગ સાથે વિપક્ષ ધરણા પર બેઠો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ મે ૨૫, જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળવાની હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને ધરણા પર બેસી ગયા હતા, અને કચરાના કામમાં ૯૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે, તેઓ આક્ષેપ કરીને આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કચરા ના કોન્ટ્રાક્ટ સહિતની આઈટમ ને રદ કરવાની માંગ કરી હતી.જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજની બેઠક માટેના દર્શાવાયેલા એજન્ડા મુજબ આઈટમ નં૧૨ ની દરખાસ્ત રદ કરવા અને ભાજપના લાગતા કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનું મસમોટું કોભાંડની વિજીલન્સ તપાસ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બહાર હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને વિરોધ દર્શાવ્યો હતો, અને ધરણા કરવામાં આવ્યા હતા.
જામનગર મહાનગર પાલિકાના સ્ટે.કમિટીની આજ રોજ તા.૦૧-૦૫-૨૦૨૫ ના મળનારી બેઠક ના એજન્ડા આઈટમ નં.૧૨ માં કમિશ્નર ડી.એન. મોદી મારફત શિફ્ટ આધારિત ગાર્બેજ કલેક્શનનું કામ તથા રિફ્યુજ ટ્રાન્સફર સ્ટેશનનું કેપિટલ કોસ્ટ તથા ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ તથા એમ.આર.એફના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-૧) (વોર્ડ નં.૧ થી ૮ ) તથા ઝોન-૨ ( વોર્ડ- ૯ થી ૧૬ ) અંગે કમિશ્નરથી રજુ થયેલી દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી છે.