જામ્યુંકોમાં સ્ટેન્ડિંગ કમિટી બહાર કોંગ્રેસ “ગંગાજળ” સાથે પહોંચી

0
435

જામનગર મહાનગર પાલિકા માં સ્ટેન્ડિંગ કમિટી ની છેલ્લી બેઠક મળતાં કોંગ્રેસે ગંગાજળ છાંટી પવિત્ર કરણ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૬., ૪૦ ટકા કમિશન ની માજા મુક્તિ ભાજપ શાસિત જામનગર મહાનગર પાલિકા એ છેલ્લા ૫ વર્ષ માં પ્રજાના ટેક્ષ ના પૈસા માં ભ્રષ્ટાચાર કરી અને સંતોષ ના મળ્યો હોય, તેમ ચેરમેન નો સતામા બેસવાનો સમય ગાળો પૂરો થવા પર હોઈ છેલ્લે છેલ્લે અંતિમ દિવસે પણ કમિટી બોલાવી ૫૦ કરતાં પણ વધારે કામો ને મંજુર કર્યા છે. તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ની ઓફિસ માં ગંગાજળ છાંટી પવિત્ર કરવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતોં. ત્યારે ચેરમેન ઓફિસ છોડી જતા રહ્યા હતા.છેલ્લી સ્ટેન્ડિંગ હોવાથી કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા , મહાનગર પાલિકા માં વિપક્ષ ના નેતા ધવલ નંદા સહિતનાઓ દ્વારા સ્ટેન્ડિંગની ઓફિસમાં ગુલાબજળ છાંટીને પવિત્ર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આજે ભાજપનું ઉથાપન થયું હતું.