દર્દીઓનાં પરીક્ષણની વિશેષ ડ્રાઇવ સાથે જાગૃતિ અભિયાન
-
જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી
દેશ દેવી ન્યુઝ તા. ૨૯ ઓગસ્ટ ૨૫ જામનગરની જી.જી.હોસ્પિટલનાં ઓપ્થાલ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ૪૦ માં રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડીયા અંતર્ગત ૨૫ ઓગસ્ટથી આંખનાં દર્દીઓનાં પરીક્ષણોની વિશેષ ડ્રાઇવ સાથે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રોજીંદા ઓપીડીની સરેરાશ નિયત સંખ્યા કરતા બહોળી સંખ્યામાં દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે તથા ચક્ષુદાન વિષયક પત્રિકાઓનાં વિતરણ વડે આ અંગે લોકોને પ્રેરિત કરવાની કામગીરી વિભાગનાં ડોક્ટરો સહિતનાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.