જામનગર : ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધાકધમકી અપાઇ : પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ફેબ્રુઆરી ૨૬, જામનગર જિલ્લાના ધ્રોલમાં એક વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતા ઉસકેરાયેલા શખ્સ દ્વારા વેપારીની કારમાં ધોકા મારી તોડફોડ કરી નાખવામાં આવી હતી, અને વેપારીને ધાક ધમકી અપાતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને ધ્રોલ પોલીસ મથકમાં તોડફોડ કરનાર સામે ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવ ની વિગત એવી છે કે ધ્રોળમાં ગોકુલ પાર્ક વિસ્તારમાં રહેતા અને સોમનાથ સિમેન્ટ પ્રોડક્ટ ના નામથી બિલ્ડીંગ મટીરીયલ ના વેપાર અને કારખાનું ધરાવતા થોભણભાઈ લાખાભાઈ ભૂંડિયા નામના વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે પોતાની જીજે ૩૬ એ.સી. ૦૦૦૫ નંબરની કાર શિફ્ટ કાર, કે જેના કાચ વગેરેમાં ધોકા ફટકારી નુકસાની પહોંચાડવા અંગે ધ્રોલના જ રહેવાસી બ્રિજરાજસિંહ નિરુભા જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પાસેથી આરોપી બ્રિજરાજસિંહ જાડેજા અવારનવાર હરવા ફરવા માટે કાર લઈ જતો હતો, પરંતુ તાજેતરમાં વેપારીએ પોતાની કાર લઈ જવાની ના પાડતાં આરોપી ઉસકેરાયો હતો, અને વેપારીના પત્ની વગેરેની હાજરીમાં જ ઘર પાસે પાર્ક કરવામાં આવેલી કારના કાચના ભાગમાં ધોકા ફટકારી નુકસાની પહોંચાડી દીધી હતી, અને ફરીથી કાર ફેરવવા માટે નહીં આપે, તો પતાવી નાખશે. તેવી ધાક ધમકી આપી હતી, જેથી ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે મામલે એએસઆઈ ડી.જે. ગાગીયા તપાસ ચલાવી રહ્યા છે.


