જામનગરના દિગ્જામ રેલ્વે ઓવરબ્રિજ નજીક ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફરી વળ્યું

0
3151

જામનગર શહેરમાં દિગજામ રેલવે ઓવરબ્રિજની નીચે વર્ષોથી ખડકાઈ ગયેલી ઝુપડપટ્ટીમાં આજે પોલીસ તંત્ર દ્વારા મેગા ડીમોલિશન કાર્ય હાથ ધરાયું

  • ૧૫૦ થી વધુ રેલવેની જમીન પર ખડકાઈ ગયેલા ઝુપડાઓ દૂર કરવા માટે શહેર જિલ્લા તેમજ રેલવેનો મોટો પોલીસ કાફલો જોડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૬, જામનગર શહેરમાં દિગજામ ઓવરબ્રિજ ની નીચે આવેલી રેલવે લાઇનની બંને તરફ ૧૫૦ થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ ખડકી દેવામાં આવ્યા છે, અને વર્ષોથી આ ઝુપડપટ્ટી પોલીસ માટે દર્દ સમાન બની છે. ત્યાં અનેક વખત દેશી દારૂની પ્રવૃત્તિ અંગે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે, તેમ છતાં દેશી દારૂની પ્રવૃત્તિ પણ બે રોકટોક ચાલી રહી છે.જ્યાં આજે પોલીસ તંત્ર દ્વારા મેગા ડીમોલેસન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લાલપુરના આઈપીએસ પોલીસ અધિકારી પ્રતિભા, જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા વગેરે ઉચ્ચ અધિકારીની રાહબરી હેઠળ ૩૦૦ થી વધુ પોલીસ કર્મચારી ની ફોજ ઉતારી દેવામાં આવી હતી, અને અનેક ઝુંપડાઓ પર વહેલી સવારથી પીળો પંજો ફરી વળ્યો હતો.રેલવે લાઈનની બંને તરફ આશરે ૧૫૦ થી વધુ નાના મોટા અનેક ઝુપડાઓ આવેલા છે, જ્યારે કેટલીક કેબીનો સહિતના દબાણો પણ આ સ્થળે ખડકી દેવાયેલા છે, જેને દૂર કરવા માટે એકી સાથે અડધો ડઝનથી વધુ જેસીબી મશીન નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને મેગા ડીમોલેસન કાર્ય હાથ ધરી લેવાયું છે.પોલીસે ટસના મસ થયા વિના મક્કમ પણે તમામ ઝુપડાઓ દૂર કરવા માટેની કાર્યવાહી અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને લગભગ બે દિવસ સુધીમાં ઉપરોક્ત તમામ વિસ્તારના ઝુપડાઓ દૂર કરીને રેલવે ટ્રેક આસપાસ નો સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવશે, તેવો પોલીસ તંત્ર એ નિર્ધાર કર્યો છે, અને કાર્યમાં જામનગર શહેર પોલીસ ઉપરાંત રેલવે પોલીસનો સ્ટાફ પણ જોડાયો છે.